- ધ્રુવ ભટ્ટની 'ન ઇતિ' વાંચવાની ખરેખર મજા આવી. આજકાલ ધ્રુવ ભટ્ટ મારા પ્રિય લેખક થઇ ગયા છે. એમને લખેલા ગીત પણ સાંભળવાની અને ખાસ તો અનુભવવાની ખુબ મજા આવે છે. યુટ્યુબ પર એમને લખેલા ગીત ઘણા લોકોએ ગાયા છે. ધ્રુવ ભટ્ટનું 'અકૂપાર' પછી 'ન ઇતિ' બીજું પુસ્તક છે જે મેં વાંચ્યું હોય.
- હાલમાં બેન કાર્સન નું 'ગીફ્ટેડ હેન્ડ્સ' વાંચી રહ્યો છે. અમેરિકાના ખ્યાતનામ સર્જન પરનું પુસ્તક છે. આ જ નામ પરથી મૂવી પણ છે.
- બહાર ઓફીસ સિવાય જવાનું ટાળું છું - આમને આમ ૪ મહિના થઇ ગયા આ કોરોના કેર ને. પણ અકન્દેરે સારું છે કે બધા ઘરમાં રહેવા ટેવાય ગયા છે અને ખાસ તો વગર કારણે બહાર જવું, બહારનું ખાવું-પીવું, વગેરે બધું બંધ થઇ ગયું છે. પૈસાની બચત અને સ્વાસ્થ્ય પણ બહારનું ખાવાનું બંધ થતાં સારું રહે છે.
- હા, પણ વજન વધ્યું છે, ખાસ તો પેટ અને એને હવે થોડું ઓછું કરવું જોઈએ એવું લાગી રહ્યું છે. જે કઈ શારીરિક કસરત થાય છે એ બધી ઘર પરની અગાસીમાં જ થાય છે. પણ મજા આવે છે.
- ઘરે રહેવા અને અગાસી ઉપર રમવા રીવાંશી ટેવાય ગઈ છે પણ ગઈ કાલે થોડી વાર માટે એને નીચે એની સાયકલ પર લઇ ગયો'તો પણ પછી તો એ ઘરે આવા માનતી જ નો'તી. એટલે પછી નક્કી કર્યું કે અગાસી હમણાં ભલી એને રમવા માટે.
- ઓફિસમાં પણ ૩-૪ જણને કોરોના થયો છે. એક તો અમારા ગ્રુપમાં જ આવ્યો છે. એટલે અમારે પણ ગયા અઠવાડિયે ટેસ્ટીંગ કરાવું પડ્યું.
- રીવાંશીને ૨-૩ શબ્દો વાળા નાના વાક્યો હવે બોલતા આવડી ગયું છે. એ એનું પોતાનું નામ રીવાંશીને બદલે "હાનશી" બોલે છે :-). અને રાત્રે એને હવે મારી પાસે વાર્તા (એની ભાષામાં "ટોરી" (સ્ટોરી)) સાંભળવી ગમે છે અને એના વગર અમને સુવા નથી દેતી. અને ગમે તેટલી વાર્તાઓ કહીએ, પેલી "મંકી" વાળી ૨ વાર્તાઓ કહેવાની જ : ૧) વાંદરા અને મગર વાળી ૨) વાંદરા અને ટોપીના ફેરિયા વાળી.
- કોઈ વાર મને ઉંઘ આવે તો પછી કિરણને કહે કે વાર્તા કહો.
- આજકાલ એને ગાય બહું ગમતી થઇ ગઈ છે અને રોજ એને રોટલી આપવા માટે નીચે જવાનું કહે છે.
- ફૂલછોડને પાણી પીવડાવાનું પણ એને બહું ગમે છે.
- અને હા, એને મારી જેમ ગરોળીની જરાય બીક લાગતી નથી ;-)
Showing posts with label પુસ્તકો. Show all posts
Showing posts with label પુસ્તકો. Show all posts
Sunday, August 23, 2020
નવાજુની - 14
Monday, August 3, 2020
નવાજુની - 13
- પેલી કૃષ્ણાયન વાંચીને પછી રાહુલ પંડિતાની 'Our Moon Has Blood Clots' વાંચી. આ પુસ્તકના અમુક કિસ્સાઓ વાંચીને હચમચી જવાયું. કાશ્મીરી પંડિતો સાથે જે કઈ દુર્વ્યવહાર થયો એ ખરેખર શરમજનક છે અને દુઃખદાયી પણ. થોડા વખત પહેલાં મેં આવું જ એક પુસ્તક વાંચેલું - 'Curfewed Nights' જેના લેખક છે બશરત પીર. એ પુસ્તક કાશ્મીરી મુસ્લીમોની જિંદગી પર હતું.
- હવે ધ્રુવ ભટ્ટનું પુસ્તક 'ન ઇતિ' વાંચવામાં આવશે.
- કોરોના વાયરસ હવે ખુબ નજીક આવી ગયો છે. નજીકના ૧-૨ ઘરો માં અને ઓફીસમાં પણ ૨-૩ જણને લાગુ પડ્યો છે. નસીબજોગે આપણે ખાસ કઈ એમના સંપર્કમાં નથી આવ્યા એટલું સારું છે.
Sunday, May 31, 2020
નવાજુની - 11
- ગઈ નવાજુની પોસ્ટ પ્રમાણે અમીશની "રાવણ" વાંચીને પૂરી કરી. મજા આવી અને ખાસ કરીને એ જાણીને નવાઈ લાગી કે રાવણ જેવા ઘાતકી અને ક્રૂર માણસને પણ પ્રેમ થયેલો અને એ એક તરફી પ્રેમ એને આખી જિંદગી યાદ રહ્યો. સાથે સાથે એનો સંગીત અને વાંચનના શોખ વિષે જાણીને નવાઈ લાગી. પુસ્તકમાં મને કુમ્ભકર્ણનું પાત્ર પણ ગમ્યું - એક માસૂમ બાળક જેવું - નિર્દોષ અને મહદઅંશે ધર્મને પ્રેમ કરનારો. ભલે કદાચ પુસ્તકમાં ઘણી ખરી વાતો કાલ્પનિક હશે, પણ વાંચવાની મજા આવી અને હવે આ રામ ચંદ્ર સીરીઝનો આગળનો ભાગ આવે એની રાહ જોવામાં આવશે.
- અહિયાં બેંગ્લોરમાં લોકો પોતાના પાળતું પ્રાણીઓ (મહદઅંશે કુતરાઓ) વિષે ઘણા પઝેસીવ જોવા મળ્યા. હજી થોડાક દિવસ પહેલાં જ અમે અહિયાં નજીકમાં જ આંટો મારી રહ્યા હતા ત્યારે રીવાંશીએ એક પાળેલા કુતરાને (એની ભાષામાં ડોગ્ગી ) "હાય" કહેવા ઉભા રહ્યા તો એ બહેન જે કુતરાને લઈને નીકડા હતા એમને એ કુતરાનું કઈક નામ કીધું (રામ જાણે શું નામ હતું - આપણને તો યાદ રહ્યું નથી). પણ એમને જે રીતે એ કુતરાનું નામ લીધું એ જોઇને એવું લાગ્યું જાણે કે એમને વટ્ટથી એમના દીકરાનું નામ લીધું હોય!!! અમને થોડી નવાઈ લાગી - કદાચ એવું બને કે અમને બહું એવું પ્રાણી પાળવાનો શોખ નથી એટલે અમે કદાચ એ વાતમાં બહુ ઈંટરેસ્ટ ન દાખવ્યો કારણ કે અમારા માટે તો કુતરું એ કુતરું - નામ ગમે તે હોય. બીજું અહી એ પણ અમને નવાઈ લાગેલી કે અહિયાં ઘણા લોકો પ્રાણીઓ પાળે છે - ખાસ કરીને કુતરાઓ.
- આ ઉદાસીન અને પેન્ડેમિક વાતાવરણમાં કોઈને થોડું પોઝીટીવ વાંચવાની ઈચ્છા હોય તો ઓમ માલિકની આ પોસ્ટ વાંચવા જેવી છે.
- હવે પછી કાજળ ઓઝા વૈધની "કૃષ્ણાયન" વાંચવાનો વિચાર છે.
Wednesday, April 1, 2020
બેંગ્લોર
એમતો બેંગ્લોર (બેંગલુરુ પણ આપણને હજી બેંગાલુરુની ટેવ નથી પડી એટલે ત્યાં સુધી બેંગ્લોર) આવ્યે 6 મહિના (સેપ્ટેમ્બર એન્ડ માં અહીંયા આપણે પધરામણી કરી) થઇ ગયા પણ આળસને કારણે બ્લોગ પર કઈ અપડેટ થયું નથી એટલે કદાચ વાંચકો માટે આ નવું હશે.
શરૂઆત તો બેંગ્લોરમાં સહેજ પણ ના ગમ્યું કારણ કે એક તો એકલો આવ્યો હતો - એટલે ઘર અને પરિવાર મિસ થાય. ઉપરાંત આવીને 15 દિવસ હોટલમાં રોકાયો એ પછી રૂમ મળવાની મુશ્કેલી. એ ઉપરાંત અહીંની મોંઘવારી - ખાલી સાઉથ ઇન્ડિયન જમવાનું સસ્તું મળે બાકી બધું જ મોંઘુ. એમાં વળી પાછો હું શરૂઆતના દિવસોમાં બીમાર પડેલો એટલે વધારે ના ગમ્યું. તદુપરાંત અહીંયાનો ટ્રાફિક અને ઠેક-ઠેકાણે ગંદકી અને આપણી ગુજરાતની નર્મદાની કેનાલ જેટલી મોટી, ખુલ્લી ગટરો મેં પેહલી વાર જોઈ.
પણ પછી એકાદ મહિનામાં બધું થાળે પડ્યું ખરું અને પછી ડિસેમ્બરમાં તો કિરણ અને રીવાંશી પણ અહીંયા આવી ગયા એટલે પછી મજા જ મજા.
બેંગ્લોરનું વાતાવરણ તો બધાને ગમે એવું છે. બધી સીઝનમાં ટેમ્પરેચર સરખું જ લાગે - ન વધારે ગરમી કે ન તો વધારે ઠંડી.
ફેબ્રુઆરીમાં મદુરાઈ-રામેશ્વરમ-ઉટી પણ ફરી આવ્યા.
બાકી પુસ્તકો વાંચવાનું ધીમે ધીમે પણ ચાલું છે. અહીંયા આવ્યા પછી 3 પુસ્તકો વાંચ્યા :
1. ધ અધર સાઈડ ઓફ મી - સિડની શેલ્ડન
2. દુખિયારાં - વિકટર હ્યુગો (જે લે મિઝરેબલનું ગુજરાતી અનુવાદ છે - અનુવાદક : મૂળશંકર મો. ભટ્ટ)
3. ધ ગ્રેટેસ્ટ સેલ્સમેન ઈન થઈ વર્લ્ડ - ઑગ મંડીનો
અને હાલમાં કોરોના વાયરસે જયારે કાળો કેર વરસાવ્યો છે આખી દુનિયામાં અને આપણે ભારતમાં પણ જયારે મોદી સરકારે 21 દિવસનું લોકડાઉંન કર્યું છે ત્યારે હું વાંચી રહ્યો છું : લવ ઈન ધ ટાઈમ ઓફ કૉલેરા - ગેબ્રિઅલ ગાર્સીયા માર્કેઝ
લૉકડાઉન દરમિયાન પણ અમારે સરકારી બૅન્કને 50% સ્ટાફથી ચાલું રાખવાની હોવાથી અઠવાડિયામાં 3-4 દિવસ ઑફિસ જવું પડે છે અને બાકીના દિવસોમાં વર્ક ફ્રોમ હોમ - જે મારા માટે પહેલી વારનું છે અને નવું છે. એમ સારું લાગે પણ ઘરે રીવાંશી ની ઉંમરના બાળકો હોય તો થોડું અઘરું પડે.
બાકી તો એવું છે કે ચાલવાનું-દોડવાનું કે બીજી કોઈ જાતની કસરતથી આપણે ઘણા દૂર થઇ ગયા છે જે ખુબ જ ખરાબ કહેવાય અને ફરી પાછું કંઈક નિયમિત થાય એવી આશા સાથે આ પોસ્ટ પુરી કરું છું.
P.S. 1. બેંગ્લોરમાં આવીને ઠેક-ઠેકાણે નૉન-વેજ અને દારૂની દુકાનો જોઈને ઘણી નવાઈ લાગેલી.
2. પાંચ વર્ષથી વપરાતા iPhone ને આરામ આપી 10-12 દિવસ પહેલાં ફરી પાછા એન્ડ્રોઇડ પર આપણે આવી ગયા છીએ અને રિયલમી 6 પ્રો ફૉન લેવામાં આવ્યો છે.
શરૂઆત તો બેંગ્લોરમાં સહેજ પણ ના ગમ્યું કારણ કે એક તો એકલો આવ્યો હતો - એટલે ઘર અને પરિવાર મિસ થાય. ઉપરાંત આવીને 15 દિવસ હોટલમાં રોકાયો એ પછી રૂમ મળવાની મુશ્કેલી. એ ઉપરાંત અહીંની મોંઘવારી - ખાલી સાઉથ ઇન્ડિયન જમવાનું સસ્તું મળે બાકી બધું જ મોંઘુ. એમાં વળી પાછો હું શરૂઆતના દિવસોમાં બીમાર પડેલો એટલે વધારે ના ગમ્યું. તદુપરાંત અહીંયાનો ટ્રાફિક અને ઠેક-ઠેકાણે ગંદકી અને આપણી ગુજરાતની નર્મદાની કેનાલ જેટલી મોટી, ખુલ્લી ગટરો મેં પેહલી વાર જોઈ.
પણ પછી એકાદ મહિનામાં બધું થાળે પડ્યું ખરું અને પછી ડિસેમ્બરમાં તો કિરણ અને રીવાંશી પણ અહીંયા આવી ગયા એટલે પછી મજા જ મજા.
બેંગ્લોરનું વાતાવરણ તો બધાને ગમે એવું છે. બધી સીઝનમાં ટેમ્પરેચર સરખું જ લાગે - ન વધારે ગરમી કે ન તો વધારે ઠંડી.
ફેબ્રુઆરીમાં મદુરાઈ-રામેશ્વરમ-ઉટી પણ ફરી આવ્યા.
બાકી પુસ્તકો વાંચવાનું ધીમે ધીમે પણ ચાલું છે. અહીંયા આવ્યા પછી 3 પુસ્તકો વાંચ્યા :
1. ધ અધર સાઈડ ઓફ મી - સિડની શેલ્ડન
2. દુખિયારાં - વિકટર હ્યુગો (જે લે મિઝરેબલનું ગુજરાતી અનુવાદ છે - અનુવાદક : મૂળશંકર મો. ભટ્ટ)
3. ધ ગ્રેટેસ્ટ સેલ્સમેન ઈન થઈ વર્લ્ડ - ઑગ મંડીનો
અને હાલમાં કોરોના વાયરસે જયારે કાળો કેર વરસાવ્યો છે આખી દુનિયામાં અને આપણે ભારતમાં પણ જયારે મોદી સરકારે 21 દિવસનું લોકડાઉંન કર્યું છે ત્યારે હું વાંચી રહ્યો છું : લવ ઈન ધ ટાઈમ ઓફ કૉલેરા - ગેબ્રિઅલ ગાર્સીયા માર્કેઝ
લૉકડાઉન દરમિયાન પણ અમારે સરકારી બૅન્કને 50% સ્ટાફથી ચાલું રાખવાની હોવાથી અઠવાડિયામાં 3-4 દિવસ ઑફિસ જવું પડે છે અને બાકીના દિવસોમાં વર્ક ફ્રોમ હોમ - જે મારા માટે પહેલી વારનું છે અને નવું છે. એમ સારું લાગે પણ ઘરે રીવાંશી ની ઉંમરના બાળકો હોય તો થોડું અઘરું પડે.
બાકી તો એવું છે કે ચાલવાનું-દોડવાનું કે બીજી કોઈ જાતની કસરતથી આપણે ઘણા દૂર થઇ ગયા છે જે ખુબ જ ખરાબ કહેવાય અને ફરી પાછું કંઈક નિયમિત થાય એવી આશા સાથે આ પોસ્ટ પુરી કરું છું.
P.S. 1. બેંગ્લોરમાં આવીને ઠેક-ઠેકાણે નૉન-વેજ અને દારૂની દુકાનો જોઈને ઘણી નવાઈ લાગેલી.
2. પાંચ વર્ષથી વપરાતા iPhone ને આરામ આપી 10-12 દિવસ પહેલાં ફરી પાછા એન્ડ્રોઇડ પર આપણે આવી ગયા છીએ અને રિયલમી 6 પ્રો ફૉન લેવામાં આવ્યો છે.
Friday, April 12, 2019
Not વિધાઉટ My ડૉટર
આજે ક્રોસવર્ડમાંથી આ પુસ્તક લીધા પછી એના પાના ફેરવતી વખતે મને અચાનક એક જૂની કવિતા યાદ આવી. જયંત પાઠક એ લખેલી "મારી દીકરી ક્યાં ?"
આખરે ઉજાગરાનો અંત આવ્યો:
લગન ઊકલી ગયાં.
મા હવે
ઘરની ચીજવસ્તુઓ ગણે છે
સંભારી સંભારી મેળવે છે
સંભાળી સંભાળી ગોઠ્વે છે:
થાળી, વાડકા, ગ્લાસ, ડિશ-
બધું બરાબર છે
ક્યાંય કશુંય ખોવાયું નથી
કશુંય ગયું નથી-
પણ
અચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે
ઊભી રહી જાય છે
આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્ન :
‘મારી દીકરી ક્યાં ?’
Saturday, September 1, 2018
ધ લાસ્ટ લેકચર - રેન્ડી પઉશ : મરતા પહેલાં આપેલું અદ્ભુત જ્ઞાન
ધારો કે તમારી પાસે જીવનના ફક્ત છ મહિના છે. તમે એવા કોઈ રોગથી પીડાઓ છો જેનો ઈલાજ શક્ય નથી અને હવે બાકી રહેલાં જીવનમાં તમારે ઘણું બધું કરવાનું છે, માણવાનું છે અને ખાસ તો તમારા બાળકોને ઘણું બધું કહેવાનું છે - જેથી તે મોટા થઈને યાદ કરી શકે અને તમારા વિચારો જાણે.
હમણાં મેં એક પુસ્તક વાંચ્યું : ધ લાસ્ટ લેકચર જેના લેખક છે રેન્ડી પઉશ - જે અમેરિકાની પ્રખ્યાત કાર્નીગી મેલન યુનીવર્સીટીમાં પ્રોફેસર હતાં. તેમણે આ પુસ્તક તેમના છેલ્લા દિવસોમાં લખેલું - ઇન ફેક્ટ - એમણે આ વિષે લેકચર પણ આપેલું.
પુસ્તક વાંચતી વખતે મને ગમેલા મુદ્દાઓ અહી પ્રસ્તુત કરું છું :
૧. જો હું પેઈન્ટર હોત, તો મેં (મરણ) પહેલાં કંઇક પેઈન્ટ કર્યું હોત. જો હું મ્યુઝીશિયન હોત તો મેં કંઇક મ્યુઝીક બનાવ્યું હોત. પણ હું લેકચરર છું, એટલે મેં લેકચર આપ્યું.
૨. એન્જીનીયરીંગ એ કોઈ પણ પ્રોબ્લેમ નો સંપૂર્ણ ઉકેલ વિષે નથી. તે તો માર્યાદિત સ્ત્રોતો સાથે તમે કઈ રીતે ઉત્તમ ઉકેલ આપી શકો છો તેના વિષે છે.
૩. જો આ તમારો છેલ્લો ચાન્સ હોય, તો તમે દુનિયાને શું જ્ઞાન આપશો ?
૪. મને એમ હતું કે દુનિયામાં બે પ્રકાના પરિવારો જ હશે :
હમણાં મેં એક પુસ્તક વાંચ્યું : ધ લાસ્ટ લેકચર જેના લેખક છે રેન્ડી પઉશ - જે અમેરિકાની પ્રખ્યાત કાર્નીગી મેલન યુનીવર્સીટીમાં પ્રોફેસર હતાં. તેમણે આ પુસ્તક તેમના છેલ્લા દિવસોમાં લખેલું - ઇન ફેક્ટ - એમણે આ વિષે લેકચર પણ આપેલું.
પુસ્તક વાંચતી વખતે મને ગમેલા મુદ્દાઓ અહી પ્રસ્તુત કરું છું :
૧. જો હું પેઈન્ટર હોત, તો મેં (મરણ) પહેલાં કંઇક પેઈન્ટ કર્યું હોત. જો હું મ્યુઝીશિયન હોત તો મેં કંઇક મ્યુઝીક બનાવ્યું હોત. પણ હું લેકચરર છું, એટલે મેં લેકચર આપ્યું.
૨. એન્જીનીયરીંગ એ કોઈ પણ પ્રોબ્લેમ નો સંપૂર્ણ ઉકેલ વિષે નથી. તે તો માર્યાદિત સ્ત્રોતો સાથે તમે કઈ રીતે ઉત્તમ ઉકેલ આપી શકો છો તેના વિષે છે.
૩. જો આ તમારો છેલ્લો ચાન્સ હોય, તો તમે દુનિયાને શું જ્ઞાન આપશો ?
૪. મને એમ હતું કે દુનિયામાં બે પ્રકાના પરિવારો જ હશે :
(૧) જેમને શબ્દકોષ (ડીક્ષનરી) વાંચ્યા પછી જ રાતનું જમવાનું મળે
(૨) જેમને (કંઈ) વાંચ્યા વગર જ જમવાનું મળે.
અમે પહેલાં પ્રકારમાં આવતા હતા.
//આજે મોબાઈલ અને ટી.વી. નો જે રાફળો ફાટ્યો છે; તે સમજે આ મુદ્દો ખાસ વિચારવો. લેખક નાના હતાં ત્યારે તેમના માં-બાપએ રાતે જમતાં પહેલાં શબ્દકોષમાં થી નવા શબ્દો શીખવાની ટેવ પાડેલી. ટૂંકમાં રાતે જમવાનું તો જ મળે જો તમે કંઇક વાંચો ! આજે પરિવારોની તાતી જરૂરીયાત છે જે બાળકોમાં નાનપણથી જ આવી ટેવ પાડે.
૫. અમારા ઘરની વૃત્તિ પાડાની જેમ આળસું બનીને (સોફા) પર બેસી રહેવાની ન હતી. અમે વધું સારી રીતે જાણતા હતા : જ્ઞાનકોષ (એન્સાઈક્લોપીડિયા) ખોલો. શબ્દકોષ ખોલો. તમારા મગજને ખોલો.
૬. કોઈ (સારા) કારણ માટે વાર્તાઓ કહેવી જોઈએ
//લેખક કહે છે કે મારા પિતા અદ્ભુત વાર્તાઓ કહેતાં અને એ વાર્તાઓ હમેશ રમુજી ટુચકાઓ ભરેલી રહેતી. જે વાસ્તવમાં અમને નૈતિકતાના પાઠ ભણાવતી.
૭. બાળકોએ એ જાણવું ખુબ જ જરૂરી છે કે તેમના માતા-પિતા તેમણે ખુબ જ પ્રેમ કરે છે અને કરતાં રહેશે. અને તે માટે માતા-પિતાને જીવંત રહેવાની જરૂર નથી.
૮. દરેક બાબતમાં (ખાસ કરીને વિજ્ઞાન, ટેકનોલોજીના વિદ્યાર્થીઓ એ) મૂળભૂત સિદ્ધાંતો સમજવા જરૂરી છે; બાકી તો બીજું ફક્ત ફેન્સી વાતો જ છે.
૯. જયારે તમે હદ બહાર વર્તી રહ્યા હોય અને તે છતાં પણ જો તમને કોઈ કંઈ કહેવાની તસ્દી પણ ન લેતું હોય, ત્યારે સમજી લેવું કે તેમણે તમારા નામનું "નાહી નાખ્યું" છે. ત્યાંથી હટી જવું જ વધારે યોગ્ય છે.
૧૦. આજકાલ બાળકોને સ્વાભિમાન આપવા વિષે ઘણું ચર્ચાય રહ્યું છે. સ્વાભિમાન કોઈને આપી શકાતું નથી; તે તો જાતે કેળવવું પડે.
૧૧. જયારે આપણે બાળકોને ટીમ સ્પોર્ટ્સ (સંગઠિત રમતો) જેવી કે ફૂટબોલ, ક્રિકેટ, સ્વીમીંગ, વગેરે - રમવા માટે મોકલીએ છીએ - ત્યારે મોટાભાગના લોકો એટલા માટે નથી મોકલતાં કે બાળક રમતમાં ચેમ્પિયન બને. આપણે તેમણે જે શીખવવા માંગીએ છીએ તે વધું મહત્વનું છે : ટીમ વર્ક, નિષ્ઠા, ખેલદિલી, સખત મહેનતનું મુલ્ય અને પ્રતિકુળતાનો સામનો કરવાની ક્ષમતા. આ એક પ્રકારનું પરોક્ષ શિક્ષણ (ઇનડાયરેકટ લર્નિંગ) છે.
૧૨. મારા માતા-પિતા ખુબ જ કરકસરિયા હતા (મિતવ્યયી). જે ઘણાં ખરા અમેરીકનોથી વિપરીત હતાં. તે અન્ય લોકોને પ્રભાવિત કરવા કે પોતાના વૈભવ માટે કશું પણ ખરીદી ન કરતાં. પણ અમારા માટે તેઓ રાજીખુશીથી અમને વર્લ્ડ બૂક (મોટું દળદાર પુસ્તક) ખરીદી આપતા; જે એ સમયે રજવાડી ખર્ચ ગણાતો; કારણ કે આમ કરવાથી તેઓ મને અને મારી બહેનને જ્ઞાનની ભેટ આપી રહ્યા હતા.
૧૩. મારા પિતા એક વચન-પાલક પિતા હતા.
૧૪. જો, હું ખુશ રહેવાનો રસ્તો શોધી કાઢીશ, પણ મને તારી સાથે ખુશ રહેવું વધારે ગમશે. પણ જો હું તારી સાથે ખુશ નહિ રહું, તો હું તારા વગર ખુશ રહેવાનો રસ્તો શોધીશ.
//લેખક જયારે જવાનીમાં તેમના (થનાર) પત્નીને મનાવી રહ્યા હતાં ત્યારનો સંવાદ.
૧૫. અડચણો કંઇક કારણ માટે હોય છે. તે તમને કંઇક કરી બતાવવાનો મોકો આપે છે.
૧૬. મારા માતા-પિતાએ મને શીખવેલું કે ઓટોમોબાઈલ્સ (ગાડી, સ્કુટર) તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા માટે છે. તે જરૂરિયાતનું સાધન છે, સામાજિક દેખાડો કરવાનું નહિ..... મારી એ પણ માન્યતા છે કે આવા સાધનો જો તેમનું નિર્ધારિત કાર્ય કરતાં હોય તો તેમને નાની-મોટી તોડફોડમાં રીપેર કરવાની જરૂર નથી.
૧૭. સમગ્ર અગ્નિપરીક્ષા દરમિયાન, મને નથી લાગતું કે અમે (લેખક અને તેમના પત્ની) ક્યારેય એકબીજાને કહ્યું હોય : "આ યોગ્ય નથી; આપણી સાથે અન્યાય છે." અમે ફક્ત પ્રવાહ સાથે વહેતાં ગયા અને મુશ્કેલીનો સામનો કરતાં ગયા. અને એ બધી જ વસ્તુઓ કરી જે અમને હકારાત્મક પરિણામ આપી શકતા હતા. નિરાશ થયા વગર, અમારું વલણ જીવનના પ્રવાહમાં વહેવાનું હતું.
૧૮. મારા પિતા ઓફિસથી આવ્યા પછી કોઈ વાર નાનું રમકડું કે ચોકલેટ લાવતાં, અને એ ખુબ જ ઉત્સાહ અને જોશ સાથે અમારી સામે રજૂ કરતાં, જાણે કોઈ જાદુગરનો ખેલ કરતાં હોય. તેમની આ રજૂ કરવાની રીત અમને ઘણીવાર લાવેલી વસ્તુ કરતાં વધારે આનંદ આપતી.
૧૯. પૈસાની જેમ સમયને પણ સ્પષ્ટ રીતે સંચાલિત કરવો જોઈએ.
૨૦. પોતાને પૂછો - શું તમે તમારો સમય યોગ્ય વસ્તુઓ પાછળ ખર્ચી રહ્યા છો ?
૨૧. સમય કાઢો. એ વેકેશન વેકેશન નથી જેમાં તમે આવેલા ઈમેઈલને વાંચી / રીપ્લાય કરી રહ્યા હોય કે ફોન પર લાગેલા હોવ.
૨૨. જે છે તે સમય જ છે તમારી પાસે. અને એક દિવસ તમને એવો અહેસાસ થશે કે તમે ધારો છો તેના કરતાં પણ ઓછો સમય હશે.
૨૩. આપણે ખુદને ફક્ત એક જ વસ્તું સુધારી શકે છે - તે છે આપણે ખરેખર આપણું મૂલ્યાંકન કરવાની ક્ષમતા નો વિકાસ કરીએ. જો આપણે તે ચોક્કર પણે ન કરી શકીએ, તો આપણે કઈ રીતે કહી શકીએ કે આપણે સુધરી રહ્યા છીએ કે ખરાબ થઇ રહ્યા છીએ /
૨૪. મારે એવા લોકોની ટીમ જોઈએ છીએ કે જે ફક્ત સ્માર્ટ જ ન હોય, કારણ કે સ્માર્ટ તો અહિયાં બધા જ છે, પણ એ બધા સાથે હળીમળીને એકબીજાને ખુશ રાખીને કામ કરી શકે.
૨૫. જે દિવસે નીલ આર્મસ્ટ્રોંગએ ચંદ્ર પર પગ મુક્યો તારે મારા પિતાએ એ ક્ષણનો ટી.વી. પરના પ્રસારનો ફોટો પાડીને સાચવી રાખેલો કારણ કે હું ઘરે નહોતો. તેમણે એ ક્ષણ મારા માટે સાચવી રાખી કારણ કે તેમણે ખ્યાલ હતો કે તે (ક્ષણ) મોટા સપનાઓ ને ટ્રીગર કરવામાં મદદ કરી શકે છે. (સ્ક્રેપ્બૂકમાં) મારી પાસે હજું પણ તે ફોટો છે.
૨૬. પોતાને સપના સેવવાની પરવાનગી આપો. તમારા બાળકોના સપનાને પણ ઇંધણ આપો; ભલે તેના માટે કદાચ તમારે અને બાળકોએ સાથે મળીને કોઈવાર ઉજાગરો વેઠવો પડે.
૨૭. ફેશન એ ફક્ત પૈસા કમાવાનો ધંધો છે. નવા કપડાં ત્યારે જ લેવા જોઈએ જયારે જુના ફાટી જાય.
૨૮. સમય જતાં અને જીવનએ આપેલી મુદત પૂરી થતાં, શરણાગતિ સ્વીકારવી તે વધારે યોગ્ય છે. ખોટી ફરિયાદ કરવાથી કંઈ વળતું નથી. આપણા બધાં પાસે સમય અને શક્તિ માર્યાદિત છે; એટલે રોદણાં રોવાથી કંઈ હાંસલ થતું નથી.
૨૯. (લેખક પોતાની દીકરી ને):
(૧) હું ઈચ્છું છું કે મારી દીકરી એ વાત જાણતાં મોટી થાય કે તેના પ્રેમમાં પાડવાવાળો સહુથી પહેલો પુરુષ હું છું.
(૨) મને આ સમજતાં ઘણો સમય લાગ્યો પણ મેં આખરે શોધી કાઢ્યું : જયારે કોઈ પુરુષ તારામાં રોમેન્ટીકલી રસ લે ત્યારે તે જે કહે છે તે બધું જ અવગણી ફક્ત તે જે કંઈ કરે છે તેના પર ધ્યાન આપજે.
૩૦. આશા અને વાસ્તવિકતા વચ્ચે તંદુરસ્ત સંતુલન હોવું જોઈએ.
૩૧. અમારા ઘરમાં એક નિયમ એ છે કે તમે એક શબ્દના પ્રશ્નો ન પૂછી શકો જેવા કે 'કેમ?', 'ક્યાં', વગેરે. મારા પુત્ર ડાયલેનને આ આઈડિયા ખુબ જ ગમ્યો છે. તે હંમેશા પુરા વાક્યોમાં પ્રશ્નો પૂછે છે અને તેથી તેની કુતુહલવૃત્તિનો ખુબ જ વિકાસ થઇ રહ્યો છે.
૩૨. મારા બાળકો માટે મારા સપના અત્યંત ચોક્કસ છે: હું ઈચ્છું ચુ કે તેઓ પરિપૂર્ણતા તરફ પોતાનો માર્ગ જાતે શોધે.
૩૩. બાળકો, હું તમને શું બનાવવા માંગતો હતો તે શોધવાનો પ્રયાસ કરશો નહિ. તમારી ઈચ્છા તે જ મારી ઈચ્છા સમજવી.
૩૪. તમે તમારા સપના કંઈ રીતે હાંસલ કરો છો તે અગત્યનું નથી. તમે તમારું જીવન કંઈ રીતે જીવો છો તે મહત્વનું છે. જો તમે તમારું જીવન યોગ્ય રીતે જીવશો, તો કર્મ બાકીનું સંભાળી લેશે.
રેન્ડી પઉશ - ધ લાસ્ટ લેકચર
રેન્ડી પઉશ - ધ લાસ્ટ લેકચર
Tuesday, June 28, 2016
નવાજુની - 7
આજે મને જાણવા મળ્યું કે મારી સાથે નોકરી કરતા આલાપ મેહતા ના ફુવા એટલે 'પ્રિયજન' નવલકથાના લેખક શ્રી વિનેશ અંતાણી.
વાત એમ હતી કે રાકેશએ એવું કીધું કે હું કવિતાઓ લખું છું. એટલે જુહીએ પૂછ્યું કે ક્યાં છે તમારી કવિતાઓ ?
એટલે મેં આ બ્લોગની વાત કરી. અને એ બધાં (આલાપ, જુહી, નીરવ) આ બ્લોગ ખોલીને બેસી ગયા અને મારી કવિતાઓ વાંચવા લાગ્યા.
એ સમયે આલાપે કીધું કે મારા ફુવા વિનેશ અંતાણી પણ લખે છે. એ જાણીને મને સુખદ આશ્ચર્ય થયું અને મેં આલાપને કહ્યું કે જો શક્ય હોઈ તો મને એમની સાથે મુલાકાત કરાવી આપે.
મેં સહુથી પહેલા વિનેશ અંતાણીને દિવ્યભાસ્કરની રવિપૂર્તિમાં વાંચેલા. અને મને એ લેખમાં એક નવો શબ્દ જાણવા મળેલો એ મને હજી યાદ છે. શબ્દ હતો 'માલીપા'. માલીપા શબ્દનો નજીકનો અર્થ થાય - within.
એ પછીમે એમની લેખન યાત્રા વિશે "લખવું એટલે કે..."માં વાંચી.
અને ત્યારબાદ 'પ્રિયજન' નવલકથામાં. પ્રિયજન મને ખૂબ જ ગમેલી.
મને લેખકો-કવિઓને મળવાનું ગમે છે. કારણ કે મળીને મને પણ લખવાની પ્રેરણા મળે છે.
જોઈએ હવે વિનેશ સાહેબને ક્યારે મળાય છે.
વાત એમ હતી કે રાકેશએ એવું કીધું કે હું કવિતાઓ લખું છું. એટલે જુહીએ પૂછ્યું કે ક્યાં છે તમારી કવિતાઓ ?
એટલે મેં આ બ્લોગની વાત કરી. અને એ બધાં (આલાપ, જુહી, નીરવ) આ બ્લોગ ખોલીને બેસી ગયા અને મારી કવિતાઓ વાંચવા લાગ્યા.
એ સમયે આલાપે કીધું કે મારા ફુવા વિનેશ અંતાણી પણ લખે છે. એ જાણીને મને સુખદ આશ્ચર્ય થયું અને મેં આલાપને કહ્યું કે જો શક્ય હોઈ તો મને એમની સાથે મુલાકાત કરાવી આપે.
મેં સહુથી પહેલા વિનેશ અંતાણીને દિવ્યભાસ્કરની રવિપૂર્તિમાં વાંચેલા. અને મને એ લેખમાં એક નવો શબ્દ જાણવા મળેલો એ મને હજી યાદ છે. શબ્દ હતો 'માલીપા'. માલીપા શબ્દનો નજીકનો અર્થ થાય - within.
એ પછીમે એમની લેખન યાત્રા વિશે "લખવું એટલે કે..."માં વાંચી.
અને ત્યારબાદ 'પ્રિયજન' નવલકથામાં. પ્રિયજન મને ખૂબ જ ગમેલી.
મને લેખકો-કવિઓને મળવાનું ગમે છે. કારણ કે મળીને મને પણ લખવાની પ્રેરણા મળે છે.
જોઈએ હવે વિનેશ સાહેબને ક્યારે મળાય છે.
Monday, June 6, 2016
આપણા જીવનની કરુણાંતિકા
મૃત્યુ એ જીવનની કરુણાંતિકા નથી, પણ જીવતે જીવ આપણે જે આપણા માંહ્યલાને (આત્માને) મારીએ છીએ એ છે. - નોર્મન કઝીન્સરોબીન શર્માના પુસ્તક "Who Will Cry When You Die" ના પહેલાં પૃષ્ઠ પર આ સુંદર વાક્ય વાંચ્યું.
મેં આ પુસ્તક પહેલાં પણ વાંચેલું છે - કદાચ કોઈ લાઇબ્રરીમાંથી લઈને અથવા તો કોઈ મિત્રના અંગત કલેક્શન માંથી. અને ત્યારે જ નક્કી કરેલું કે આ પુસ્તક હું વસાવીસ. 4-5 દિવસ પહેલાં એમેઝોન પર આ પુસ્તક ખુબ જ સારા ડિસ્કાઉંટ સાથે મળતું હતું એટલે ખરીદી લીધું જે આજે ઘરે આવ્યું.
આ એવું પુસ્તક છે જે કોઈ પણ માણસ ગમે ત્યારે અને ગમે તે સમયે વાંચી શકે છે અને એમાં દરેકને કઈ ને કઈ ઉપયોગી વાંચવા લાયક, વિચારવા લાયક અને એમના જીવનમાં અમલ કરવા લાયક મળશે.
દાખલા તરીકે, લેખક પહેલાં પાઠમાં આપણને આપણી ખૂબીઓ અને શોખ જાણવા કહે છે અને આપણને આપના મકસદ વિચારવા કહે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ના વિકાસ દ્વારા આપણે માયલો દૂર રહેતાં આપણા મિત્રો ને તરત કૉલ કરીને વાત કરી શકીએ છીએ પણ આપણને આપણી જાત સાથે વાત કરવાનો સમય નથી મળતો. આપને ભૂલી જઈએ છીએ કે આપણા જીવનનો હેતું શું છે અને આપણું દિલ શું કહે છે ? અને એટલે જ પછી આપણને ફૂટબોલની જેમ જીવન ઉછાળે છે અને આપણે ઉછળતા રહીએ છીએ.
ટૂંકમાં એક અદભુત પુસ્તક જે તમને જિંદગી જીવતા શીખવે.
Monday, May 2, 2016
અમદાવાદ ઐર શો અને પુસ્તક મેળો
ગઈ કાલે અમે અમદાવાદની મુલાકાત લીધી. ઐર શો જોયો અને પછી પુસ્તક મેળામાં પણ ગયા. મજા આવી.
અમદાબાદ પહોચ્યાં બપોરના 2 વાગે. પહેલા રાણીપમાં આવેલ નેશનલ હેન્ડલૂમની મુલાકાત લીધી. ત્યાંથી પછી અમે પેપરમાં વાંચ્યા મુજબ ઐર શો નો ટાઈમ 4 વાગ્યાનો હતો એટલે 3:45 એ સાબરમતી રીવરફ્રન્ટ પોહોચ્યા. ત્યાં જઈને ખબર પડી કે ઐર શો નો ટાઈમતો 5:30 નો છે. ગરમી એટલી હતી કે સાબરમતી રીવરફ્રન્ટ પર 5:30 સુધી બેસાય તેમ નો'તું. એટલે આશ્રમ રોડ પર આવેલ મેક-ડોનાલ્ડસ માં ગયા અને આરામ થી બેઠા.
શોના ટાઈમ પેહલા પહોચ્યા ને શો જોયો. મજા આવી.
પછી મને ગમતા પુસ્તક મેળામાં ગયા. ત્યાં બધા હોલ એ.સી. હોવાથી ઘણી રાહત થઇ. રાજા હોવાને કારણે ઘણી ભીડ હતી એટલે અમે બધા સ્ટોલ ફક્ત ઉપરછલ્લા જોયા અને નક્કી કર્યું કે સમય લઈને 7 તારીખ સુધીમાં આવશું.
જય વસાવડાના લેક્ચર્સ ની એક ડી.વી.ડી. લીધી - "વાંચન દ્વારા વિકાસ". પણ લેપટોપમાં ડી.વી.ડી. પ્લેયર ન હોવાથી સંભાળવા માટે થોડી રાહ જોવી પડશે.
એકંદરે ખુબ સારો દિવસ રહ્યો.
આજ સવારથી થોડું વાદળછાયું વાતાવરણ હતું અને સાંજે હું કમ્પની પરથી ઘરે આવવા નીકળ્યો ત્યારે જ વરસાદ પડ્યો અને ઘરે પોહોચ્યો એટલે બંધ થઇ ગયો. :-(
અમદાબાદ પહોચ્યાં બપોરના 2 વાગે. પહેલા રાણીપમાં આવેલ નેશનલ હેન્ડલૂમની મુલાકાત લીધી. ત્યાંથી પછી અમે પેપરમાં વાંચ્યા મુજબ ઐર શો નો ટાઈમ 4 વાગ્યાનો હતો એટલે 3:45 એ સાબરમતી રીવરફ્રન્ટ પોહોચ્યા. ત્યાં જઈને ખબર પડી કે ઐર શો નો ટાઈમતો 5:30 નો છે. ગરમી એટલી હતી કે સાબરમતી રીવરફ્રન્ટ પર 5:30 સુધી બેસાય તેમ નો'તું. એટલે આશ્રમ રોડ પર આવેલ મેક-ડોનાલ્ડસ માં ગયા અને આરામ થી બેઠા.
શોના ટાઈમ પેહલા પહોચ્યા ને શો જોયો. મજા આવી.
પછી મને ગમતા પુસ્તક મેળામાં ગયા. ત્યાં બધા હોલ એ.સી. હોવાથી ઘણી રાહત થઇ. રાજા હોવાને કારણે ઘણી ભીડ હતી એટલે અમે બધા સ્ટોલ ફક્ત ઉપરછલ્લા જોયા અને નક્કી કર્યું કે સમય લઈને 7 તારીખ સુધીમાં આવશું.
જય વસાવડાના લેક્ચર્સ ની એક ડી.વી.ડી. લીધી - "વાંચન દ્વારા વિકાસ". પણ લેપટોપમાં ડી.વી.ડી. પ્લેયર ન હોવાથી સંભાળવા માટે થોડી રાહ જોવી પડશે.
એકંદરે ખુબ સારો દિવસ રહ્યો.
આજ સવારથી થોડું વાદળછાયું વાતાવરણ હતું અને સાંજે હું કમ્પની પરથી ઘરે આવવા નીકળ્યો ત્યારે જ વરસાદ પડ્યો અને ઘરે પોહોચ્યો એટલે બંધ થઇ ગયો. :-(
Thursday, April 28, 2016
બીલેટેડ હેપ્પી બર્થડે
ગઈ કાલે જીવનના 30 વર્ષ પુરા કર્યા. સાંજ સુધી તો દિવસ સામાન્ય રહ્યો. આખો દિવસ ઓફીસના કામમાં અને બધાં મિત્રોના કૉલ અને મેસેજીસના જવાબો આપવામાં ગયો.
પછી સાંજે ઘરે આવ્યા પછી હું અને કિરણ બહાર ફરવા ગયા - અગોરા મોલ. ઘરની થોડી ચીજ-વસ્તુઓ લીધી.
ઘરે આવીને હું ફરી મોબાઈલ પર વ્યસ્ત થઇ ગયો. એ દરમિયાન કિરણ રસોડામાં ગઈ અને મારી જાણ બહાર એને ડાઈનીંગ ટેબલ પર મીણબત્તીઓ મૂકી ને શણગારી. અને પછી મને ડાઈનીંગ રૂમમાં બોલાવી અને અમે કેન્ડલ-લાઈટ ડીનર કર્યું.
જમ્યા પછી એને મને એક પુસ્તક આપ્યું ગીફ્ટમાં - "યુ આર ધ પાસવર્ડ તો માય લાઈફ". સુદીપ નાગરક્ર દ્વારા લિખિત આ પુસ્તક નું નામ મેં પેહલી વખત સાંભળ્યું. પણ મને એનું ટાઈટલ ગમી ગયું. કિરણએ પણ ટાઈટલ જોઇને જ ખરીદ્યું.
અને પછી થોડી વારમાં ઘરે મહેશ અને ચેતન કેક લઈને આવ્યા. :-)
કિરણ અને બાકી બધા મિત્રોનો ખુબ ખુબ આભાર. બીજી સરપ્રાઈઝ આજે મળી. નૂપુરે પણ આજે કેક મોકલાવી. 12 કલ્લાકમાં 2 કેક. ;-)
પછી સાંજે ઘરે આવ્યા પછી હું અને કિરણ બહાર ફરવા ગયા - અગોરા મોલ. ઘરની થોડી ચીજ-વસ્તુઓ લીધી.
ઘરે આવીને હું ફરી મોબાઈલ પર વ્યસ્ત થઇ ગયો. એ દરમિયાન કિરણ રસોડામાં ગઈ અને મારી જાણ બહાર એને ડાઈનીંગ ટેબલ પર મીણબત્તીઓ મૂકી ને શણગારી. અને પછી મને ડાઈનીંગ રૂમમાં બોલાવી અને અમે કેન્ડલ-લાઈટ ડીનર કર્યું.
જમ્યા પછી એને મને એક પુસ્તક આપ્યું ગીફ્ટમાં - "યુ આર ધ પાસવર્ડ તો માય લાઈફ". સુદીપ નાગરક્ર દ્વારા લિખિત આ પુસ્તક નું નામ મેં પેહલી વખત સાંભળ્યું. પણ મને એનું ટાઈટલ ગમી ગયું. કિરણએ પણ ટાઈટલ જોઇને જ ખરીદ્યું.
અને પછી થોડી વારમાં ઘરે મહેશ અને ચેતન કેક લઈને આવ્યા. :-)
કિરણ અને બાકી બધા મિત્રોનો ખુબ ખુબ આભાર. બીજી સરપ્રાઈઝ આજે મળી. નૂપુરે પણ આજે કેક મોકલાવી. 12 કલ્લાકમાં 2 કેક. ;-)
Tuesday, July 7, 2015
ધ કલામ ઈફેક્ટ
શનિવારે કૉલેજ પછી હું અને કિરણ કોસંબા ગયા, અભિજિત ના ઘરે. કોસંબા પાસે ખરચ ગામ આવેલ છે અને ત્યાં બિરલા સેલ્યુલોઝ કંપની છે. સરસ મજાનું ટાઉનશીપ છે. ત્યાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પણ સારું છે. એમાં આવેલી સેન્ટ્રલ લાઈબ્રેરીમાં ડો. એ.પી.જે. અબ્દુલ કલમ પરનું પુસ્તક "ધ કલામ ઈફેક્ટ" હાથમાં આવ્યું. ઈશ્યુ કરાવીને વાંચવાનું ચાલુ કર્યું. ખુબ જ સરસ પુસ્તક છે જે અબ્દુલ કલમ સાહેબના પર્સનલ સેક્રેટરી શ્રી પી.એમ.નાયર એ લખેલ છે.
વધુ વિગત માટે મારા અંગ્રેજી બ્લોગ પરની પોસ્ટ વાંચવી.
વધુ વિગત માટે મારા અંગ્રેજી બ્લોગ પરની પોસ્ટ વાંચવી.
Friday, July 3, 2015
શ્યામ તરફથી સરપ્રાઈઝ ગિફ્ટ
ગઈ કાલે કૉલેજથી ઘરે પોહોચ્યો અને મમ્મીએ કીધું કે તારા માટે કોઈ એક પુસ્તક આવ્યું છે. પાર્સલ જોયું તો એ amazon.in પરથી આવ્યું હતું. પાર્સલ પર નામ મારું લખેલું હતું પણ કોને મોકલ્યું છે એ ખબર ના પડી. અંદરથી પુસ્તક કાઢ્યું. એમાં પણ કોઈ મેસેજ લખેલ ના જણાયો. અંતે ફરી પાછું પાર્સલ પરનું એડ્રેસ અને એની નીચે લખેલો ફોન નંબર પર મારું ધ્યાન ગયું. નંબર બીજા કોઈનો હતો. એ નંબરને મારા ફોનમાં તપાસતાં જણાયું કે આ તો મારા મિત્ર શ્યામ કોટેચાનો નંબર છે.
શ્યામને તરત ફોન કરીને આભાર માન્યો.
શ્યામને હું પહેલીવાર BITS Edu Campus ના ઈન્ટરવ્યું વખતે મળ્યો હતો. એ પછી જયારે મેં એ કૉલેજ જોઈન કરી ત્યારે હું એને મળ્યો અને થોડાક જ દિવસોમાં અમે ખુબ સારા મિત્રો બની ગયા. એ ખુબ જ હોશિયાર છે અને ખાસ તો એની સચ્ચાઈ મને સ્પર્શી ગઈ. એની પેહલી નોકરી હોવાથી એ થોડો એકલો પડતો હતો. મને મારી પેહલી નોકરીના દિવસો યાદ આવી ગયા. હું પણ એની જેમ ખુબ જ અનુભવી લોકોની વચ્ચે બીનઅનુભવી અને એકલો હતો. એ વખતે મારા મિત્ર લલિત પંડ્યાએ ખુબ મદદ કરેલી. એ જ રીતે મેં પણ મારા થોડા વર્ષોના અનુભવમાં જે કઈ શીખ્યું એ શ્યામ સાથે share કરવાની કોશિશ કરી. અને મને પણ એની સાથે મજા આવતી હતી. નસીબ જોગે મારે ટૂંક સમયમાં જ એ કૉલેજ છોડવી પડી અને શ્યામ જેવો એક સારો મિત્ર પણ.
ગૂડ લક શ્યામ.
શ્યામને તરત ફોન કરીને આભાર માન્યો.
શ્યામને હું પહેલીવાર BITS Edu Campus ના ઈન્ટરવ્યું વખતે મળ્યો હતો. એ પછી જયારે મેં એ કૉલેજ જોઈન કરી ત્યારે હું એને મળ્યો અને થોડાક જ દિવસોમાં અમે ખુબ સારા મિત્રો બની ગયા. એ ખુબ જ હોશિયાર છે અને ખાસ તો એની સચ્ચાઈ મને સ્પર્શી ગઈ. એની પેહલી નોકરી હોવાથી એ થોડો એકલો પડતો હતો. મને મારી પેહલી નોકરીના દિવસો યાદ આવી ગયા. હું પણ એની જેમ ખુબ જ અનુભવી લોકોની વચ્ચે બીનઅનુભવી અને એકલો હતો. એ વખતે મારા મિત્ર લલિત પંડ્યાએ ખુબ મદદ કરેલી. એ જ રીતે મેં પણ મારા થોડા વર્ષોના અનુભવમાં જે કઈ શીખ્યું એ શ્યામ સાથે share કરવાની કોશિશ કરી. અને મને પણ એની સાથે મજા આવતી હતી. નસીબ જોગે મારે ટૂંક સમયમાં જ એ કૉલેજ છોડવી પડી અને શ્યામ જેવો એક સારો મિત્ર પણ.
ગૂડ લક શ્યામ.
Thursday, November 20, 2014
નવાજુની - 2
- આજકાલ મેં અને કિરણે મોબાઈલમાં કેન્ડી ક્રશ સાગા ગેમ રમવાનું શરું કર્યું છે. ખુબ જ સરસ ગેમ છે.
- પાણી ભરેલી ડોલ માં પડ્યા પછી મારો મોબાઈલ થોડો બગડી ગયો છે. અમુક વાર ઇયર-પીસ બરાબર ચાલે અને અમુક વાર મારે સ્પીકર પર વાત કરવી પડે.
- ચેતન ભગતની નોવેલ હાલ્ફ ગર્લફ્રેન્ડ પતાવી.
- રોબીન શર્માની મેગાલીવિંગ વાંચવાની ચાલુ કરી છે.
Saturday, September 7, 2013
વાઈઝ ઈનફ ટુ બી ફૂલીશ
એમેઝોન ઇન્ડીયા એ આજે આ ઈ-બૂક ફ્રી આપે છે. જો તમારી પાસે એમેઝોન કિંડલ હોય તો આજે જ ડાઉનલોડ કરો. કિંડલ ન હોય તો પણ તમે એનું એપ ડાઉનલોડ કરીને વાંચી શકો છો.
વિગતવાર પોસ્ટ માટે મારા અંગ્રેજી બ્લોગ પરની આ લીંક જુઓ.
વિગતવાર પોસ્ટ માટે મારા અંગ્રેજી બ્લોગ પરની આ લીંક જુઓ.
Monday, August 26, 2013
ડાયરી ઓફ અ વિમ્પી કિડ
મને ડાયરીઓ વાંચવી ગમે. ખાસ કરીને જે નાના બાળકોએ લખેલી હોય કારણ કે એ બાળકોની માસુમિયતદેખાડે છે. જેમ કે મેં "ડાયરી ઓફ અ યંગ ગર્લ (એન ફ્રેન્ક)" ના થોડા પન્નાઓ વાંચેલા છે. અને હાલ માં જ્યારે એમેઝોન પર સેલ હતું ત્યારે મેં "ડાયરી ઓફ અ વિમ્પી કિડ" ખરીદી. લેખક છે જેફ કિની.
આ વિષે વધુ વાંચવા માટે જુઓ આ મારી અંગ્રેજી બ્લોગ પર ની પોસ્ટ.
આ વિષે વધુ વાંચવા માટે જુઓ આ મારી અંગ્રેજી બ્લોગ પર ની પોસ્ટ.
Sunday, August 18, 2013
પ્રિયજન - વીનેશ અંતાણી
ગઈ કાલે રાતે 'પ્રિયજન' વાંચીને પૂરી કરી. વીનેશ અંતાણી દ્વારા 23મી માર્ચ 1979ની રાતે અઢી વાગ્યે લાખાયને પૂરી કરેલી આ નવલકથા ઘણાં સમયથી મારી પાસે હોવા છતાં વાંચવાની બાકી રહી જતી હતી. અને પરમદિવસે હાથમાં આવતાવેત મેં વાંચવાની શરું કરી અને 2 દિવસમાં પૂરી કરી.
પ્રિયજન માટે રીવ્યુ લખવાની મારામાં ક્ષમતા નથી. હું ફક્ત એટલું જ કહીશ કે જો તમે જીવનમાં કોઈને પ્રેમ કર્યો હોય, કોઈની યાદમાં ઝુર્યાં હોય અથવા જેમ વિનેશભાઈ કહે છે તેમ -
જીવનમાં ઘણીવાર સુખ અને દુઃખ બંને એક સાથે ઘોડા પર બેસીને આવતા હોય છે. પ્રેમનું પણ કંઈક એવું જ છે. જેને પ્રેમ કરતાં હોઈએ એ સાથે હોવા છતાં એને ન પામવાનું દુઃખ માણસના હૃદયને કોતરી ખાતું હોય છે.
મારા મતે પ્રેમના ઘણાં અલગ અલગ પાસાઓ છે. કોઈને પ્રેમ કરવો, કોઈનો પ્રેમ પામવો, જુના પ્રેમને ઈચ્છાથી કે અનિચ્છાથી ભૂલી જઈને કોઈ નવી વ્યક્તિને પ્રેમ કરવો એ બધું જ અલગ છે. દરેક પ્રેમની તીવ્રતા અલગ હોય છે.
જેમ આજના દિવ્યભાસ્કરની પૂર્તિમાં કાંતિ ભટ્ટે લખ્યું છે - Every love story is a potential grief story - આર્થાત દરેક પ્રેમકથા આખરે તો પીડાની કથા બની જવાની છે. પ્રેમ કરો ત્યારે પીડા માટે તૈયાર રહેજો.
પ્રિયજનમાં ચારુ દિવાકરને કહે છે - "દિવાકર ... મનની અંદર પણ એક વિશ્વ હોય છે અને એ વિશ્વમાં કેટલાયે અધૂરા છેડાઓ લટકતા હોય છે. આપણા સમયની બહાર પણ પાછળ રહી ગયેલી ઘટનાઓ હોય છે. તમે કેટલી ઘટનાઓને આંબી શકશો?"
બસ, આમ જ જીવનમાં બધું મેળવી લીધાં પછી પણ માણસને નમતી સાંજે કંઈક કોરી કાતું હોય છે, કંઈક ઝંઝોળી નાખતું હોય છે અને ભરપૂર આનંદના વાતાવરણમાં આપણે દુઃખી અને એકલા થઇ જઈએ છીએ.
પ્રિયજન - Flipkart પરથી ખરીદવા માટે
પ્રિયજન - Amazon પરથી ખરીદવા માટે
પ્રિયજન માટે રીવ્યુ લખવાની મારામાં ક્ષમતા નથી. હું ફક્ત એટલું જ કહીશ કે જો તમે જીવનમાં કોઈને પ્રેમ કર્યો હોય, કોઈની યાદમાં ઝુર્યાં હોય અથવા જેમ વિનેશભાઈ કહે છે તેમ -
જીવનને ભરપૂર જીવી લીધું હોય,જો આવું કઈ પણ તમને થયું હોય તો તમારે આ પુસ્તક જરૂર વાંચવું.
બધું જ સભર હોય
છતાં પાછલી જિંદગીની એક નમતી સાંજે
એકાદ ચહેરો મનમાં છલકાઈ જાય.
એવું બને ત્યારે પ્રશ્ન થાય
કઈ ક્ષણ સાચી ?
કે પછી બંને જ સાચી ?
જીવનમાં ઘણીવાર સુખ અને દુઃખ બંને એક સાથે ઘોડા પર બેસીને આવતા હોય છે. પ્રેમનું પણ કંઈક એવું જ છે. જેને પ્રેમ કરતાં હોઈએ એ સાથે હોવા છતાં એને ન પામવાનું દુઃખ માણસના હૃદયને કોતરી ખાતું હોય છે.
મારા મતે પ્રેમના ઘણાં અલગ અલગ પાસાઓ છે. કોઈને પ્રેમ કરવો, કોઈનો પ્રેમ પામવો, જુના પ્રેમને ઈચ્છાથી કે અનિચ્છાથી ભૂલી જઈને કોઈ નવી વ્યક્તિને પ્રેમ કરવો એ બધું જ અલગ છે. દરેક પ્રેમની તીવ્રતા અલગ હોય છે.
જેમ આજના દિવ્યભાસ્કરની પૂર્તિમાં કાંતિ ભટ્ટે લખ્યું છે - Every love story is a potential grief story - આર્થાત દરેક પ્રેમકથા આખરે તો પીડાની કથા બની જવાની છે. પ્રેમ કરો ત્યારે પીડા માટે તૈયાર રહેજો.
પ્રિયજનમાં ચારુ દિવાકરને કહે છે - "દિવાકર ... મનની અંદર પણ એક વિશ્વ હોય છે અને એ વિશ્વમાં કેટલાયે અધૂરા છેડાઓ લટકતા હોય છે. આપણા સમયની બહાર પણ પાછળ રહી ગયેલી ઘટનાઓ હોય છે. તમે કેટલી ઘટનાઓને આંબી શકશો?"
બસ, આમ જ જીવનમાં બધું મેળવી લીધાં પછી પણ માણસને નમતી સાંજે કંઈક કોરી કાતું હોય છે, કંઈક ઝંઝોળી નાખતું હોય છે અને ભરપૂર આનંદના વાતાવરણમાં આપણે દુઃખી અને એકલા થઇ જઈએ છીએ.
પ્રિયજન - Flipkart પરથી ખરીદવા માટે
પ્રિયજન - Amazon પરથી ખરીદવા માટે
Tuesday, August 13, 2013
પુસ્તકો ના રસિયાઓ આ ઓફર નો લાભ ઉઠાવે
એમેઝોન ડોટ ઇન પર હાલમાં ખુબ જ જોરદાર ઓફર ચાલી છે. ખાસ કરીને મારા જેવા વાંચન પ્રિય લોકોએ લાભ લેવા વિનંતી. ઘણાં બધા પુસ્તકો પર 66% જેટલું discount છે.
આ રહી એક ઝલક :
બીજી આવી જ ઓફર્સ વિષે માટે આ લિંક પર ક્લિક કરો. આ ઓફર ટૂંક સમય માટે જ છે.
આ રહી એક ઝલક :
બીજી આવી જ ઓફર્સ વિષે માટે આ લિંક પર ક્લિક કરો. આ ઓફર ટૂંક સમય માટે જ છે.
Thursday, August 1, 2013
30 દિવસ માટે કઈ નવું કરો
કોઈ પણ સારી આદત પાડવા માટે કે પછી કોઈ બુરી આદત છોડવા માટે આપણે જ્યારે લગાતાર એના માટે પ્રયાસ કરીએ તો એ પછી આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની જાય છે.
ગૂગલ ના મેટ કટ્સ નો વીડિઓ મેં જોયેલો ત્યાર થી આવું કઈક કરવાની મને પ્રેરણા થઇ હતી. મેટ નો બ્લોગ હું છેલ્લાં ઘણાં સમયથી વાંચું છું. એને એક પ્રયોગ કર્યો છે. 30 દિવસ સુધી આપણે કઈક એવું કરવાનું જે આપણે હજી સુધી જીવનમાં કર્યું ના હોય, કઈક એવું જેને આપણે આપણા જીવનમાં એક સારી આદત તરીકે જોવા માંગતા હોય.
મેં આવી એક વાત પહેલાં પણ કોઈ જગ્યાએ વાંચેલી કે જો કોઈ વ્યક્તિ 21 દિવસ સુધી રોજ કોઈ એક કામ કરે તો એ કામ એના જીવનમાં આદત બની જાય છે. 21 દિવસનો આંકડો કઈ રીતે આવ્યો એતો ખબર નથી પણ આપણે આપણા પ્રયોગ માટે એક મહિનો, એટલે કે 30 દિવસ રાખી શકીએ છીએ. દર પહેલી તારીખે નવું કઈ શરું કરવાનું.
તમારા જીવનમાં આવનારા 30 દિવસો તો એમ પણ પસાર થવાના જ છે, તમે કઈ રીતે એ 30 દિવસ પસાર કરવા માંગો છો એ તમારે નક્કી કરવાનું છે. અને કોઈ પણ સારી આદત કેળવવા માટે કે કોઈ બુરી આદત ને જીવનમાંથી બાદબાકી કરવા માટે 30 દિવસ નો સમયગાળો ઘણો છે. 30 દિવસ પછી જો તમને એ આદત ગમે તો ચાલું રાખો અથવા તો પડતી મુકો. પણ મરતી વખતે તમને કઈક કર્યા નો સંતોષ હશે.
મેં મારા માટે ગઈ કાલથી મારી ડાયરી ની સાઈઝ નું એક પાનું લખવાની (અને જો સમય મળે તો બ્લોગ પર ઉપડેટ કરવાની) મારી 30 દિવસ ની ચેલેંજ તરીકે સ્વીકારી છે. અને આ પોસ્ટ એના જ ભાગ રૂપે છે.
બીજી આદતો જે હું કેળવવા માંગુ છું :
ગૂગલ ના મેટ કટ્સ નો વીડિઓ મેં જોયેલો ત્યાર થી આવું કઈક કરવાની મને પ્રેરણા થઇ હતી. મેટ નો બ્લોગ હું છેલ્લાં ઘણાં સમયથી વાંચું છું. એને એક પ્રયોગ કર્યો છે. 30 દિવસ સુધી આપણે કઈક એવું કરવાનું જે આપણે હજી સુધી જીવનમાં કર્યું ના હોય, કઈક એવું જેને આપણે આપણા જીવનમાં એક સારી આદત તરીકે જોવા માંગતા હોય.
મેં આવી એક વાત પહેલાં પણ કોઈ જગ્યાએ વાંચેલી કે જો કોઈ વ્યક્તિ 21 દિવસ સુધી રોજ કોઈ એક કામ કરે તો એ કામ એના જીવનમાં આદત બની જાય છે. 21 દિવસનો આંકડો કઈ રીતે આવ્યો એતો ખબર નથી પણ આપણે આપણા પ્રયોગ માટે એક મહિનો, એટલે કે 30 દિવસ રાખી શકીએ છીએ. દર પહેલી તારીખે નવું કઈ શરું કરવાનું.
તમારા જીવનમાં આવનારા 30 દિવસો તો એમ પણ પસાર થવાના જ છે, તમે કઈ રીતે એ 30 દિવસ પસાર કરવા માંગો છો એ તમારે નક્કી કરવાનું છે. અને કોઈ પણ સારી આદત કેળવવા માટે કે કોઈ બુરી આદત ને જીવનમાંથી બાદબાકી કરવા માટે 30 દિવસ નો સમયગાળો ઘણો છે. 30 દિવસ પછી જો તમને એ આદત ગમે તો ચાલું રાખો અથવા તો પડતી મુકો. પણ મરતી વખતે તમને કઈક કર્યા નો સંતોષ હશે.
મેં મારા માટે ગઈ કાલથી મારી ડાયરી ની સાઈઝ નું એક પાનું લખવાની (અને જો સમય મળે તો બ્લોગ પર ઉપડેટ કરવાની) મારી 30 દિવસ ની ચેલેંજ તરીકે સ્વીકારી છે. અને આ પોસ્ટ એના જ ભાગ રૂપે છે.
બીજી આદતો જે હું કેળવવા માંગુ છું :
- રોજ ના કોઈ પણ પુસ્તક ના 30 પાના વાંચવા (જેથી કરીને આ પોસ્ટ સાર્થક થાય ;-))
- રોજ સવારે 5 વાગ્યે ઉઠી ને યોગાસનો કરવા અથવા ચાલવા જવું.
પુસ્તકોનો નશો
વાંચવાનો ગાંડો શોખ હોવાને કારણે હું પુસ્તકો ભેગાં કરતો કરું છું અને ખરીદતો રહું છું અને સમય અત્યારે એવો આવી ગયો છે કે ઘણાં ખરા પુસ્તકો વંચાયા વગરના પડી રહ્યાં છે. પર તોય નવાં પુસ્તકો જોઇને એમને ખરીદવાનો નશો ચડી જાય છે.
આ બાબતે હું મારી જાત ને દારૂડીયા સાથે સરખાવું છું. જેમ દારૂની લત વાળી વ્યક્તિને દારુની ગમે તેટલી બાટલીઓ ઘરે હોવા છતાં દારૂની દુકાને જઈને 'નવી બાટલી ભાળી નથી કે લેવાની ઈચ્છા થઇ નથી' તેમ મારે પણ પુસ્તકોની દુકાને 'નવું પુસ્તક ભાળ્યું નથી કે લેવાની ઈચ્છા થઇ નથી' જેવી હાલત છે.
વાંચવું એ દારુ ઢીંચવા જેવું છે અને પુસ્તકો ભેગાં કરવા એ ઘરમાં જ બાર બનાવવા જેવું છે. દારુદીયાના ઘરે બારમાં બાટલીઓ શોભે એમ મારા રૂમમાં પુસ્તકો શોભે.
હા, તો મૂળ વાત એ હતી કે આપણે હવે બાટલીઓ (પુસ્તકો) ભેગાં કરવાનું થોડા સમય માટે અટકાવીને ઘરે પડેલા દારુ ધીચ્વાનું કામ હાથ પર ધરવું પડશે. ;-)
આ બાબતે હું મારી જાત ને દારૂડીયા સાથે સરખાવું છું. જેમ દારૂની લત વાળી વ્યક્તિને દારુની ગમે તેટલી બાટલીઓ ઘરે હોવા છતાં દારૂની દુકાને જઈને 'નવી બાટલી ભાળી નથી કે લેવાની ઈચ્છા થઇ નથી' તેમ મારે પણ પુસ્તકોની દુકાને 'નવું પુસ્તક ભાળ્યું નથી કે લેવાની ઈચ્છા થઇ નથી' જેવી હાલત છે.
વાંચવું એ દારુ ઢીંચવા જેવું છે અને પુસ્તકો ભેગાં કરવા એ ઘરમાં જ બાર બનાવવા જેવું છે. દારુદીયાના ઘરે બારમાં બાટલીઓ શોભે એમ મારા રૂમમાં પુસ્તકો શોભે.
હા, તો મૂળ વાત એ હતી કે આપણે હવે બાટલીઓ (પુસ્તકો) ભેગાં કરવાનું થોડા સમય માટે અટકાવીને ઘરે પડેલા દારુ ધીચ્વાનું કામ હાથ પર ધરવું પડશે. ;-)
Tuesday, July 9, 2013
પ્રેમ, બ્રેકઅપ અને બીજું બધું આડું અવળું
હાલમાં હું મારા પ્રિય લેખક કાંતિ ભટ્ટનું પુસ્તક "પીડામાંથી પ્રેરણા" વાંચી રહ્યો છું. કાંતિ ભટ્ટના 'ચેતનાની ક્ષણે' ના લેખોનું સંકલન છે. તેમાં એક લેખ છે જેનું શીર્ષક છે "વિચારી-વિચારીને પ્રેમ કે મૈત્રી કરી શકાય ?"
આ લેખના પ્રથમ ફકરામાં કાંતિ ભટ્ટે મુંબઈની એક મહિલા કૉલેજની મહિલા પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓને સલાહ આપેલી એની વાત કરી છે. પ્રિન્સીપાલ કહે છે - "યુવાની આવે ત્યારે કોઈ પણ યુવકને તમે ભલે દિલ આપો, પણ શરીર ના આપશો અને શરીર આપો તો પછી દિલ ન આપશો. આટલો નિયમ રાખશો તો પછી કોઈ પ્રકારનો માનસિક આઘાત નહિ લાગે. લાગણીઓમાં ખેચાવાની યાતનામાંથી છૂટી શકશો, કારણ કે જેમ હોળી રમીને ગંદા થયેલા શરીર પરથી નાહવાની સાથે જ રંગો ઊતરી જાય છે તેમ માત્ર શરીર જ સંડોવાયું હશે તો સંતાપ લાંબો નહિ તકે."
કાંતિ ભટ્ટ આ શિખામણ સાથે સંમત નથી થતા અને હું પણ નથી થતો. કાંતિ ભટ્ટ કહે છે - "પ્રેમમાં શરીર અને દિલને અલગ નથી પાડી શકાતાં. પ્રેમ કઈ ફૂંકી-ફૂંકીને નથી કરી શકાતો. એ તો પાગલ માણસનું કામ છે. ડાહ્યા માણસો પ્રેમ કરી ન શકે."
આગળ કા.ભ. એકવીસમી સદીમાં થતાં પ્રેમ વિષે કહે છે - "એકવીસમી સદીમાં પ્રેમ એ કઈ પરમેનન્ટ પેન્શનેબલ જોબ નથી. પ્રેમ થઇ જાય તો થઇ જાય, એની લંબાઈ-ટૂંકાઈ ન જોવાય."
આજે ઠેર ઠેર સ્કુલ-કૉલેજ ના છોકરા-છોકરીઓ પ્રેમમાં પડે છે અને પછી બ્રેકઅપ કરે છે અને ફરી પાછા બીજા કોઈ જોડે પ્રેમમાં પડે છે. હું લગ્ન પહેલા થતાં પ્રેમમાં બ્રેકઅપ ની તરફેણમાં છું કારણ કે પરાણે પરાણે પ્રેમ ન થાય. સહન કરી કરીને પ્રેમનો ઢોંગ કરવા કરતા નફફટ થઈને બ્રેકઅપ કરવું વધુ ઉચિત છે.
જીયા ખાને જો આદિત્ય પંચોળીના દીકરા સુરજ પંચોળીની સાથે બ્રેકઅપ કરી નાખ્યું હોત અને એને ભૂલીને બીજા કોઈના પ્રેમમાં પડી હોત તો એ અત્યારે જીવતી હોત.
પણ બ્રેકઅપ કરવો પણ ક્યા સહેલો હોય છે ? પ્રેમ એટલો અટપટી ચીજ છે કે બે પ્રેમીઓ વચ્ચે પ્રેમ છુમંતર થઇ ગયા પછી પણ એ નિષ્પ્રેમ અવશતા સીવ્કારવી મુશ્કેલ બને છે અને એટલે જ બ્રેકઅપ કરવું સહેલું નથી હોતું.
નોંધ : આ પોસ્ટમાં મેં લગ્ન પહેલાં થતાં પ્રેમ અને બ્રેકઅપની જ વાતો કરી છે. બે વ્યક્તિઓના લગ્ન પછીના બ્રેકઅપ ને ડિવોર્સ કહેવાય અને હું ડીવોર્સને બિલકુલ સમર્થન નથી આપતો (અમુક હદ વટાવી જનારા અપવાદ સિવાય) કારણ કે એમાં બે વાક્તીઓની સાથે એમના બાળકો અને પરિવારજનો પણ ચકડોળે ચડે છે.
એટલે લગ્ન પછી તો બને ત્યાં સુધી પડ્યું પાનું નિભાવી લેવું જોઈએ. અથવા એને શક્ય હોયતો સરખું લાગણીભર્યું કરવા મથતાં રહેવું અને જીવ્યે જવું.
આ લેખના પ્રથમ ફકરામાં કાંતિ ભટ્ટે મુંબઈની એક મહિલા કૉલેજની મહિલા પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓને સલાહ આપેલી એની વાત કરી છે. પ્રિન્સીપાલ કહે છે - "યુવાની આવે ત્યારે કોઈ પણ યુવકને તમે ભલે દિલ આપો, પણ શરીર ના આપશો અને શરીર આપો તો પછી દિલ ન આપશો. આટલો નિયમ રાખશો તો પછી કોઈ પ્રકારનો માનસિક આઘાત નહિ લાગે. લાગણીઓમાં ખેચાવાની યાતનામાંથી છૂટી શકશો, કારણ કે જેમ હોળી રમીને ગંદા થયેલા શરીર પરથી નાહવાની સાથે જ રંગો ઊતરી જાય છે તેમ માત્ર શરીર જ સંડોવાયું હશે તો સંતાપ લાંબો નહિ તકે."
કાંતિ ભટ્ટ આ શિખામણ સાથે સંમત નથી થતા અને હું પણ નથી થતો. કાંતિ ભટ્ટ કહે છે - "પ્રેમમાં શરીર અને દિલને અલગ નથી પાડી શકાતાં. પ્રેમ કઈ ફૂંકી-ફૂંકીને નથી કરી શકાતો. એ તો પાગલ માણસનું કામ છે. ડાહ્યા માણસો પ્રેમ કરી ન શકે."
આગળ કા.ભ. એકવીસમી સદીમાં થતાં પ્રેમ વિષે કહે છે - "એકવીસમી સદીમાં પ્રેમ એ કઈ પરમેનન્ટ પેન્શનેબલ જોબ નથી. પ્રેમ થઇ જાય તો થઇ જાય, એની લંબાઈ-ટૂંકાઈ ન જોવાય."
આજે ઠેર ઠેર સ્કુલ-કૉલેજ ના છોકરા-છોકરીઓ પ્રેમમાં પડે છે અને પછી બ્રેકઅપ કરે છે અને ફરી પાછા બીજા કોઈ જોડે પ્રેમમાં પડે છે. હું લગ્ન પહેલા થતાં પ્રેમમાં બ્રેકઅપ ની તરફેણમાં છું કારણ કે પરાણે પરાણે પ્રેમ ન થાય. સહન કરી કરીને પ્રેમનો ઢોંગ કરવા કરતા નફફટ થઈને બ્રેકઅપ કરવું વધુ ઉચિત છે.
જીયા ખાને જો આદિત્ય પંચોળીના દીકરા સુરજ પંચોળીની સાથે બ્રેકઅપ કરી નાખ્યું હોત અને એને ભૂલીને બીજા કોઈના પ્રેમમાં પડી હોત તો એ અત્યારે જીવતી હોત.
પણ બ્રેકઅપ કરવો પણ ક્યા સહેલો હોય છે ? પ્રેમ એટલો અટપટી ચીજ છે કે બે પ્રેમીઓ વચ્ચે પ્રેમ છુમંતર થઇ ગયા પછી પણ એ નિષ્પ્રેમ અવશતા સીવ્કારવી મુશ્કેલ બને છે અને એટલે જ બ્રેકઅપ કરવું સહેલું નથી હોતું.
નોંધ : આ પોસ્ટમાં મેં લગ્ન પહેલાં થતાં પ્રેમ અને બ્રેકઅપની જ વાતો કરી છે. બે વ્યક્તિઓના લગ્ન પછીના બ્રેકઅપ ને ડિવોર્સ કહેવાય અને હું ડીવોર્સને બિલકુલ સમર્થન નથી આપતો (અમુક હદ વટાવી જનારા અપવાદ સિવાય) કારણ કે એમાં બે વાક્તીઓની સાથે એમના બાળકો અને પરિવારજનો પણ ચકડોળે ચડે છે.
એટલે લગ્ન પછી તો બને ત્યાં સુધી પડ્યું પાનું નિભાવી લેવું જોઈએ. અથવા એને શક્ય હોયતો સરખું લાગણીભર્યું કરવા મથતાં રહેવું અને જીવ્યે જવું.
Subscribe to:
Posts (Atom)
મારા વહાલા બાળકોને - ૬ અને ૭
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...
-
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...
-
મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...
-
મારા બ્લૉગ પર મેં December, 2010 (M.Tech 1st Sem) માં લખેલી આ પોસ્ટ ગઈકાલે રાત્રે યાદ આવી ગઈ. મારી ૪ વર્ષની દીકરીને પણ આવી જ કંઈક ઈર્ષા કૂ...


