Thursday, June 30, 2011

પપ્પા @ ૭૫ : જય વસાવડા

પ્રખ્યાત લેખક જય વસાવડા એ એમના બ્લોગ પર એમના પપ્પા પર લખેલ લેખ ખૂબ જ સરસ છે. એમના પપ્પા ના ૭૫ વર્ષ પુરા થયા એના પર એમને લેખ લખ્યો છે. આ રહી એની લિંક :

http://planetjv.wordpress.com/2011/06/28/%E0%AA%AA%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE-%E0%AB%AD%E0%AB%AB-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E2%80%98%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E2%80%99%E0%AA%A8%E0%AB%81/

Monday, June 27, 2011

Registered my domain ડોમેઈન નેમ રજીસ્ટર કરાવ્યું

Just now registered my domain www.yashpaljadeja.com . So now this blog will be available on this domain. Also all the old posts at (www.yashpaljadeja.blogspot.com) will be redirected to this new domain.
It was my school time dream to register a website in my name. Was planning to register it since long back when I started blogging but could never ask for the money to dad. But today somehow I felt the urge to do it. Just 2 days back I helped a friend to purchase domain name with my bank account as his account was not working. So finally purchased the domain name via blogger (in its collaboration with www.godaddy.com). The cost was $10 for 1 year i.e about Rs. 450. The advantage of purchasing a domain name with blogger is that I get a free account of Google Apps wherein I can have 10 user accounts and use different services like Gmail, Google Calendar, Google Sites and Google Docs. So now I can have a email id as xyz@yashpaljadeja.com.
 
However I have only purchased the domain name and not the hosting service. Hosting is still done by blogger. In future I plan to purchase hosting space and move my blog's platform to the more flexible Wordpress.
 
 
હમણા જ મે મારા આ બ્લોગ નું ડોમેઈન નેમ રજીસ્ટર કરાવ્યું. એટલે કે હવે આ બ્લોગ નું એડ્રેસ છે www.yashpaljadeja.com . અગાઉ ની બધી જ પોસ્ટ જે જુના ડોમેઈન www.yashpaljadeja.blogspot.com પર હતી એ બધી હવે આ એડ્રેસ પર રીડાઈરેકટ થશે.
 
હું નિશાળ માં ભણતો'તો ત્યારનું મારું સપનું હતું કે મારા નામે એક વેબસાઈટ હોય. અને જ્યારથી બ્લોગ લખવાનું ચાલુ કર્યું છે ત્યારથી રોજ એક વાર તો થતું જ કે હું રજીસ્ટર કરાવી લઉં પણ એના માટે પપ્પા પાસે પૈસા માંગવાની કોઈ વાર હિંમત નો'તી થતી. પણ ખબર નહિ આજે અચાનક જ ઈચ્છા થઇ આવી. અને મે પપ્પા ને પૂછ્યા વગર જ આજે મારા બેંક ના ખાતા માંથી ડોમેઈન નેમ ખરીદ્યું. હજું ૨ દિવસ પહેલા જ મે એક ફ્રેન્ડ ને ડોમેઈન નેમ ખરીદવું'તું તો એને મારા ખાતા માંથી ખરીદી આપ્યું'તું કારણ કે એનું ખાતું કોઈક કારણોસર નો'તું ચાલતું. તો પછી આજે મને પણ ઈચ્છા થઇ કે હું પણ ખરીદી લઉં. એટલે પછી www.blogger.com કે જે www.godaddy.com ની સાથે જોડાણ કરીને ૧૦ ડોલર (એટલે કે આશરે રૂ. ૪૫૦) માં દોટ.કોમ વાળું ડોમેઈન નેમ આપતું'તું એ ખરીદી લીધું. બીજો લાભ એ મળ્યો કે મને ગૂગલ એપ્સ ની ફ્રી સર્વિસ મળશે જેમાં હું ૧૦ યુઝર બનાવી શકીશ જીમેલ, ગૂગલ કેલેન્ડર, ગૂગલ સાઈટ્સ અને ગૂગલ ડોક્સ વાપરી શકીશ. અને હવે મારે કે બીજા ૧૦ ઉઝર ને મારી વેબસાઈટ ના નામથી ઇમેલ આઈડી બનાવવું હશે તો બનાવી શકાશે. જેમ કે "ઉઝર નું નામ"@yashpaljadeja.com
 

Saturday, June 25, 2011

Watching Double Dhamal at Wide Angle,Mahesana.

Friday, June 24, 2011

Main Papers Over મેઈન પેપર્સ પુરા

આજે બધા મેઈન પેપર્સ પુરા થયા. હવે ૪ દિવસ પછી કોમ્યુનીકેશન સ્કીલ્સ નું પેપર છે. અને પછી પ્રેક્ટીકલ પરીક્ષા. અને પછી ઘરે..... :-)

All the main papers finished today. Now after a gap of 4 days we are having the paper of Communication Skills followed by practical exams and then at home.... :-)

Thursday, June 23, 2011

Today's menu in Mess મેસ નું આજનું મેનુ

Maggie, daal-dhokli and rice.

મેગી, દાળ-ઢોકળી અને ભાત. 

Monday, June 20, 2011

Difference in preparation of exams in M.Tech and B.E એમ.ટેક અને બી.ઈ. ની પરીક્ષાઓ ની તૈયારી માં તફાવત

આજનું પેપર ધાર્યા કરતા સારું રહ્યું. પણ થીઅરી જ પુછાય'તી એટલે લખવાનું ઘણું રહ્યું. હવે પરમદિવસે પેપર છે.

એમ.ટેક અને બી.ઈ. ની પરીક્ષાઓ ની તૈયારી માં તફાવત :
હું જ્યારે બી.ઈ માં હતો ત્યારે અમે લોકો મોટા ભાગ ના વિષયોમાં ૫-૧૦-૧૫-૨૦ માર્ક નું તો તૈયાર કરવાનું જ છોડી દેતા. કારણ કે બી.ઈ માં અમારો મુખ્ય હેતુ પાસ થવાનો જ રહેતો. પણ એમ.ટેક માં આવી ને મને ૨ માર્ક નું પણ કઈ છોડવાની ઇચ્છા નથી થતી. પરીક્ષા પહેલા બધું જ તૈયાર કરવાની કોશિશ કરું છું. બી.ઈ માં હતા ત્યારે મોટે ભાગે અમે દાખલાઓ કે પ્રોગ્રામ્સ જે ૧૫-૨૦ કે વધીને ૩૦ માર્ક ના પુછાતા એ અમે તૈયાર કર્યા વગર જ જતા. કારણ કે એ વખતે બધું તૈયાર કરવાની મેનટાલીટી જ નો'તી.  પાસ થઈએ એટલે જાણે ગંગા નાહ્યા. થીઅરી ગોખી જવાની અને પાસ થઇ જવાનું. પણ એમ.ટેક માં આવીને એ મેનટાલીટી બદલાય છે. અને હવે તો એકાદ થીઅરી કે દાખલો જોવાનો રહી ગયો હોઈ તો પણ ટેન્શન થાય છે.

બીજું એ કે અહિયાં આવીને મે જે વિદ્યાર્થીઓ વચ્ચે કમ્પીટીશન જોઈ છે એવી મે બી.ઈ માં કે સ્કૂલ માં ક્યારેય નો'તી જોઈ. અહિયાં લોકોને પોતાના માર્ક્સ ની જેટલી પડી નથી હોતી એટલી બીજાના માર્ક્સ ની પડી હોઈ છે. આ પ્રકાર ની માનસિકતા ખરાબ છે અને મને જરા પણ નથી ગમતી. અહિયાં લોકો ને બીજાના પગ ખેચીને આગળ જવું છે. પણ હું એવું નથી રાખતો. મારે તો બસ મારું જોવું છે કે મારું પરફોર્મન્સ ખરાબ ના થવું જોઈએ અને ઓછા માં ઓછો ફર્સ્ટ ક્લાસ આવી જવો જોઈએ.

Today's paper was good compared to what I had expected. However it contained only theory related questions so we had to write too much. Now the next paper is day after tomorrow.

Difference in preparation of exams in M.Tech and B.E :
I remember, in B.E. we generally used to leave some topics of most of the subjects, generally sums or programs. We would just prepare (or rather - cram) the theories and go to examinations. The only target at that time was to pass the papers. But after coming here in M.Tech I don't like to leave even a single thing. And even if I couldn't prepare or revise some minor topic, it makes me tensed. The mentality has changed from "just passing" to preparing complete syllabus.

Second thing that I have noticed here is intense competition amongst students which I never saw in B.E or in school. Students here are more concerned with the marks of others rather than theirs. I don't like such "crab mentality". As crabs generally do, students here want to pull the legs of someone who is progressing. If they couldn't progress, why should others ? But luckily I am not part of that mentality as I don't like it. I am just concerned with my performance. I just see to it that it shouldn't degrade and minimum I should get is a first class in my result.

Thursday, June 16, 2011

અત્યારે હું, અમિત, નીશીત, વિમલ અને શ્રીકાંત હોસ્ટેલમાં રૂમની બાહાર લોબી માં ખાટ્લા નાખી ને બેઠા છીએ. આજે શ્રીકાંત હોસ્ટેલ પર અમારી સાથે રહ્યો છે. પરીક્ષા ના ૨ પેપરો પત્યા. હવે સીધું સોમવારે પેપર છે. પહેલા ૨ પેપર ઠીક ગયા છે. અમિત સિવાય બધા શીંગ ભજીયા ખાય છે કારણ કે એને બ્રશ કરી લીધું છે એટલે હવે એ કઈ પણ મોઢા માં નહિ નાખે.

Sitting in the lobby outside my room in hostel with Amit, Nishith, Vimal and Shrikant. Today Shrikant is staying here in hostel. 2 papers gone. Now I am having exam on Monday. First two papers were ok. All are eating Shingbhajiyaa except Amit as he has already brushed his teeth.

Saturday, June 11, 2011

વરસાદ ના પડ્યો.

It didn't rain.

Friday, June 10, 2011

આજે કદાચ વરસાદ પડશે It might rain today

મહેસાણામાં આજે આકાશ વાદળછાયું છે. યાહૂ ના વેધર ફોરકાસ્ટ મુજબ આજે વરસાદ પડવાની ૫૦% સંભાવના છે.

Its cloudy here in Mahesana. According to Yahoo's weather forecast, chance of rain is 50%.

Thursday, June 9, 2011

મારા મરણ પછી After I Die

અત્યારે ખૂબ જ ભૂખ લાગી છે. બપોરે જામ્યો'તો અને પછી ૪ વાગે ચા પીધી'તી. હવે ઓનલાઈન છાપા વાચ્યા અને હવે બ્લોગ માં લખવા બેઠો છું.

હું મૃત્યુ ને બહુ સહજ ગણું છું. કોઈનું મૃત્યુ થાય તો દુઃખ જરૂર થાય પણ એ છતાં મને એના વિષે વિચારવાનું ગમે છે. એવું નથી કહેતો કે મને મૃત્યુ નો ડર નથી લાગતો. ડર જરૂર લાગે છે, પણ હા એના વિષે વિચારવામાં મને ડર નથી લાગતો. મારા દાદી અને દાદા સ્વર્ગે સિધાવ્યા ત્યારે મે મરણ પછી થતી બધી વિધિઓ જોઈ છે. એ પછી મને વિચાર આવ્યો કે મારા મરણ પછી મારા સગા-વહાલાઓએ શું કરવું અને શું ના કરવું. અને એનું લીસ્ટ મે અહિયાં બનાવ્યું છે.

મારા મરણ પછી -
  • આંખો અને શરીરનું મેડીકલ હોસ્પિટલ માં દાન કરવું.
  • કોઈએ જોર જોર થી રડવું નહિ. બની સકે ત્યાં સુધી રડવાનું ટાળવું. હસતા મોઢે વિદાય આપો એ તો સહુ થી સરસ કહેવાય.
  • કોઈએ કાળા/ભૂરા/સફેદ રંગ ના કપડા પહેરવા નહિ.
  • શોક પાળવો નહિ, એક દિવસ પણ નહિ. રાબેતા મુજબનું જ જીવન જીવવું.
  • શાંત રહેવું.
  • ખરખરો કરવાં કોઈએ આવવું નહિ. એનાથી ઘર ના સભ્યો વધારે અસ્વસ્થ થાય છે કારણ કે જેટલી વાર લોકો આવે, એટલી વાર રડવું પડે. કોઈને આવવુ જ હોઈ તો બેસણા ને દિવસે આવી ને એજ દિવસે નીકળી જવું. વધારે કોઈએ રોકાવું નહિ.

Feeling too hungry. Had lunch in the afternoon and had tea at 4pm. Just read online newspapers and then decided to write something in blog.

Want to write about death. One feels unhappy when someone near and dear to him dies. I believe that death is innate i.e. natural, inborn. I don't say that I have no fear of death. I do have fear of death, but don't have fear of thinking about it. I have watched the rituals that took place when my grandparents passed away. After that I decided what should my near and dear ones do after I die. Here's the list.

After I die -

  • Donate my eyes and body in hospital.
  • Don't cry loudly. As far as possible, don't cry. What's better than to give a happy good-bye to the departed soul.
  • No one should wear black/blue/white coloured clothes.
  • Don't grieve, not even a day should be spent in grievance. Live life normally.
  • Keep quiet.
  • No one should come and meet. That increases the sadness in the family members. Even if you need to come, come on the day of besnaa and leave as soon as possible.

Tuesday, June 7, 2011

આવ રે વરસાદ Rain Rain When Will You Rain

છેલ્લા બે દિવસથી ખૂબ જ ગરમી પડે છે. રૂમ પણ ગરમ થઇ જાય છે. પંખો ૫ ઉપર રાખીએ તો પણ કઈ અસર નથી થતી. રાત્રે તો ખૂબ જ અકળામણ થાય છે અને ઊંઘ ઉડી જાય છે અને ગાદલું પણ પરસેવાથી ભીનું થઇ જાય છે. ભરૂચ અને દક્ષીણ ગુજરાત માં વરસાદ ચાલુ થઇ ગયો છે થોડો થોડો. ૨ દિવસ પહેલા અમદાવાદ માં પણ વરસાદ પડ્યો'તો પણ હજું અહિયાં મહેસાણા માં વરસાદ નું ટીપું પણ પડ્યું નથી. :-(

The temperature is getting to hot since last 2 days. The room gets too hot and the fans provide hardly any relief. And our condition gets worsened at nights while we sleep. Even the bed sheets get wet due to perspiration. It rained for 1 or 2 days in bharuch and other parts of south gujarat. 2 days back it rained in ahmedabad too. But still no signs of rain here in Mahesana. :-( Eagerly waiting for the rains.

Monday, June 6, 2011

હોસ્ટેલનું જમવાનું Hostels food

હોસ્ટેલમાં આવ્યા પછી હોસ્ટેલ માં બનતી દરેક વાનગી કોઈ પણ જાતના સ્વાદ ની પરખ કર્યા વગર હું ખાઈ લવ છું. પેટ ભરાય જાય એટલે ઉભો થઈને થાળી મૂકી દવ છું અને હાથ ધોઈને બાહાર આવું છું. જમ્યા પછી કોઈ પણ જાતની ખુશી ની લાગણી નથી થતી. કારણ કે જમવાનું હોઈ છે જ એટલે સ્વાદવિહીન. એમ પણ મને પહેલેથી જ જમવામાં સ્વાદ ની બહુ ખાસ ખબર પડતી નો'તી. હા, એટલું ખરું કે મમ્મીએ નાં ભાવતું શાક કે વાનગી બનાવી હોઈ તો ખાતો નહિ અને અમુક વાર ગુસ્સો પણ કરતો પણ હવે હોસ્ટેલ માં તો ક્યાં કોઈના પર ગુસ્સે થવાય??? ભૂખ લાગી હોય એટલે જમવા જાઉં, જે બનાવ્યું હોય એ થાળી માં ઠાલવું, પેટ ભરાય એટલું ખાવ, ના ભાવે તો પડતું મુકું અને હાથ ધોઈને બાહાર આવી જાઉં. હવે તો એવું લાગે છે કે જીભ પણ કોઈ સ્વાદ ને ઓળખી નથી શક્તિ. હોસ્ટેલ માં આવી ને ૩-૪ કિલો વજન ઉતર્યો છે. અહિયાં આવ્યો એ પહેલા મારો વજન ૫૪-૫૫ કિલો હતો જે હવે ઘટી ને ૫૦-૫૧ જેટલો થયો છે.

After coming here in hostel I eat the food prepared in the mess without any fuss or any kind of taste. There's no satisfaction after eating the food. It is so tasteless that sometimes I think my tongue will forget all the different tastes that are available. Just to fill my stomach I go in the mess, take the food in the plate, eat it if its eatable to some extent (so that my stomach won't be empty) and then leave the plate and wash my hands. My weight have reduced by 3-4 kgs since I came here. Right now my weight is 50-51 kgs.

Sunday, June 5, 2011

પ્રીત કિયે સુખ હોય

આજે સાંજે હોસ્ટેલ માં એક ફ્રેન્ડ ના રૂમ માં જય વસાવડાના પ્રેમ પર લખેલી લેખોની બૂક "પ્રીત કિયે સુખ હોય" જોઈ અને વાંચવા લાવ્યો અને એના બીજા જ પાને આ મસ્ત મજાની વાત વાંચી જે વિંદા કરંદીકર એ લખેલી છે. બીજી અમુક વાતો અને શાયરીઓ પણ મને ગમી છે જે મેં નીચે ટપકાવી છે.

ખરેખર તો આટલું જ થયું
એણે પાલવ ખેંચ્યો તેણે સાડી કાઢી,
કોઈએ કહ્યું : 'ખેચનારો જ ગુનેગાર'
લોકોએ કહ્યું :'કાઢનારી જ ગુનેગાર'
અમે કહ્યું : 'ગુનો શોધનાર જ ગુનેગાર'
- વિંદા કરંદીકર
===========================================================================
કંકરી પડી જબ નેન મેં, કૈસે આવત ચૈન,
ઉસ નૈનન કા ક્યા હોય, જિસ મેં પડે દો નેન!
===========================================================================
ફક્ત એક જ ટકો કાફી છે મહોબ્બતમાં,
બાકી ના નવ્વાણું ટકા ખર્ચી નાખ હિંમતમાં.
===========================================================================
હાસ્યસમ્રાટ સ્વ. શરદ જોષીએ એકવાર રમૂજમાં બહુ મરમી સત્ય કહ્યું હતું, "આપણું શિક્ષણ જીવનોપયોગી નથી. માનવજીવનમાં પ્રિયપાત્રને લખાતા પ્રેમપત્રનું બહુ અગત્યનું સ્થાન છે. સ્કૂલોમાં એવા સવાલો આપવામાં આવે છે કે ઉનાળું વેકેશન કેમ વિતાવ્યું એ વિષે મિત્ર ને પત્ર લાખો... પણ કોઈ શિક્ષક એવું નથી શીખવાડતો કે પ્રેમિકાને પત્ર કેમ લખાય ! પ્રેમિકાના જવા પછી પોતાના પર શું વીતી - એવો સવાલ કે - તેને પહેલી વાર જોઈ ત્યારે હૃદય માં શું થયું તેના પર લખવા કોઈ કહેતું નથી. જો કે હોશિયાર વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકની મર્યાદા માં બંધાઈને રહેતા નથી. તેઓ અનુભવથી જ્ઞાન વધારતા રહે છે.... ગવર્નમેન્ટ શું કરી રહી છે ? શું એણે ખબર નથી કે ભાષાના વિકાસ માટે પ્રેમપત્રનું માધ્યમ સર્વશ્રેષ્ઠ છે ?"
===========================================================================
છોકરો પ્રેમની શરૂઆતમાં છોકરીને પૂછે છે :
    "ફ્રેન્ડશીપ કરીશું ?"
    અને
છોકરી પ્રેમના અંત માટે પૂછે છે :
    "ફ્રેન્ડશીપ કરીશું ?"
===========================================================================
લવ મેરેજમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન થતા હોય છે...
.... અને અરેન્જડ મેરેજમાં બીજાની ગર્લફ્રેન્ડ સાથે !
===========================================================================
અંગ્રેજીમાં કહેવાય છે, "LOVE has two vowels (o,e), two consonants (l,v) and two idiots !"
મતલબ લવ બે સ્વર, બે વ્યંજન અને બે મૂરખના મિલનથી બને છે !
===========================================================================
એરેન્જડ મેરેજ તો સમજ્યા કે મોટે ભાગે 'પડ્યું પાનું નિભાવી લેવા'ની જ સાયકોલોજીના ઇન્જેક્શન બંને પાત્રો (ખાસ કરીને ભારતમાં છોકરીઓની) બાયોલોજીમાં બચપણથી જ ભોંકવામાં આવે છે. વળી બંને લાઈફ પાર્ટનર પણ અગાઉ જ બિઝનેસ પાર્ટનરશીપની માફક બધી ચર્ચાઓ કરી નાખે છે. ખાનદાનીથી લઈને પાનદાની સુધીનું આગોતરા જામીન જેવું સેટિંગ થઇ ગયા પછી તો ગાડું ન ગબડાવો તો વડીલો ધમકાવ્યા કરે !
===========================================================================
આ લવમેરેજ તો પશ્ચિમની ભેટ છે, આપણી મહાન ભારતીય સંસ્કૃતિમાં શાસ્ત્રોક્ત રીતે એ શોભે નહિ એવું કહેનારાઓ એક નંબરના નપાવટ નઘરોળો છે. એમણે ભારત કે સંસ્કૃતિ અંગે રાઈના દાણા જેટલી પણ સમજ ન હોવાનો આ દેખીતો પુરાવો છે. ભારત ના કયા ભગવાન અપરણિત છે ? અને વળી કોણા લગ્ન અરેન્જડ મેરેજ છે ? રાધા-કૃષ્ણ જવા દો, રુકમણીનું પણ કૃષ્ણે હરણ કરેલું - અને પાર્વતીએ તો વનસાઈડેડ લવને મેરેજમાં ફેરવવા કામદેવને કુરબાન કરી શિવને જીતેલા ! ગીતા સાંભળવા સુપાત્ર અર્જુન, અપ્સરાથી આદિવાસી સુધીની કન્યાઓ અને સ્વયં યોગેશ્વર કૃષ્ણની બહેન સુભદ્રા સાથે પરણેલો. રામ અને સીતા કે વિષ્ણુ અને લક્ષ્મીના તો લવ એટ ફર્સ્ટ સાઈટને તત્કાળ મંજુરીની મહોર મળેલી. દમ્યાન્તીથી દ્રૌપદી સુધીની રાજપુત્રીઓ સ્વયંવર કરી પિતાને નહિ, પણ પોતાને ઇચ્છિત પતિ જાહેરમાં પસંદ કરતી. આપણે આ બધાની પૂજા કરવી છે, પણ એમના આચરણ જેવું આપણા સંતાનો કરે તો ધોકો લઈને તૂટી પડવું છે. ક્યા દંભ હે !
.......................................
......................................
આ લેખ વાંચી જનારાઓ પણ એના શબ્દો કલાકમાં ભૂલી જશે. કઈ પોતાના સંતાનોની ફીલિંગ્સ સમજીને એમના લગ્ન નહી કરાવી દે ! આમાં નવી પેઢી બગાવત ન કરે તો શું કરે ? ચાલબાજીથી ષડયંત્રો રચીને સુખેતી સંસાર ભોગવતાં યુગલોને પણ ખંડિત કરનારા વાયડા વડીલો અહી ઉકરડામાં ભુંડ ઉભરાય એમ ઉભરાય છે.
.....................................
મૂળ પ્રોબ્લેમ પ્રેમમાં નથી. આપણી સડિયલ સિસ્ટમ અને અડીયલ માનસિકતાથી પેઢી દર પેઢી બંધિયાર થતાં જતાં દિમાગોમાં છે.
....................................
બરાબર ઘૂંટીને વાત મગજમાં ઉતારજો. વાત કઈ ચોક્કસ જ્ઞાતિ, રાજ્ય, કોમ, ધર્મ કે નગરની નથી. દરેક ધર્મ કે જ્ઞાતિમાં આ બાબતે બે જ પ્રકાર પાડી શકાય : એક એવી સમજુ લઘુમતી - જે સંતાનોના મુક્ત ઉછેરમાં માને છે. સ્નેહની સરહદ સમજાવટથી આગળ ન હોઈ શકે, એ આચારસંહિતાનો અમલ કરી શુદ્ધ પ્રેમને પોંખે છે. બીજી જડસુ બહુમતી, જે લાલ કપડું જોઈને સાંઢ ભડકે એમ સંતાનોની સ્વતંત્ર પસંદગી કે પ્યારથી ચાર પગે ઠેકડા મારે છે. યેનકેન પ્રકારે એનું રિમોટ કંટ્રોલ પોતાના હાથમાં રાખી દમ લે છે. સમાજના ઘણા કહેવાતાં આધુનિક, પ્રગતિશીલ કે શિક્ષિત લોકો આ બીજા બબુચક વર્ગમાં આવે છે.
મૂળ આખી વાતનું મૂળ બાળકોને મકાન કે ઢોરઢાંખર કે ઘરેણાંની જેમ 'મિલકત'  સમજવાની મમ્મી-પપ્પાઓની દિમાગી બીમારીમાં છે. પોતાના આનંદ, સંતોષ કે ઈચ્છા ખાતર પેદા કરેલા બાળકોને ઉછેરવામાં એમણે આપેલા 'ભોગ'ની દાસ્તાનો નકામી છે - કારણ કે, સંતાનો એમના આમંત્રણ-પ્રયત્ન પછી જ અવતરે છે. જો નિ:સ્વાર્થભાવે ભોગ ન આપવો હોય, તો નિ:સંતાન રહેવું જ બહેતર ! ખેર, કુટુંબના નામે એક સોનેરી જેલ ઉભી થતી જાય છે. મોજમજા કરવાની, હરવા ફરવા ભણવાનું.... પણ કારકિર્દી કે જીવનસાથીની પસંદગીની વાત આવે ત્યાં માં-બાપ ના અધૂરા ઓરતા પુરા કરવા માટે જોતરાઈ જવાનું !
.......................................
પુખ્તવયની વ્યક્તિને ભૂલો કરવાનો પણ અધિકાર છે અને લવમેરેજમાં નુકસાન થાય તો પણ પોતાનું જ થવાનું છે. બીજાનું નહી ! ભૂલ કરશે, તો ભોગવશે.... સાહસ કરશે, તો ભોગ મેળવશે ! ......... સંતાનો અવળે રસ્તે ભટકી ગયેલા લાગે, તો એમાં મમ્મી-પપ્પાની કશી જવાબદારી જ નહી ? એમની સારા-ખરાબની પરખ ન ઘડાઈ હોય, એ આવેશમાં તણાઈ જતાં હોય, એમણે મોટા થયા પછી પણ નીતિ નિયમોમાં બાંધી રાખવા પડતા હોય.... તો એનો અર્થ એ કે એનું મમ્મી-પપ્પાએ યોગ્ય ઘડતર નથી કર્યું. ઉછેરનો પાયો ક્યાંક કાચો છે.
પણ આ બધી ચર્ચા વ્યર્થ છે. કારણ કે, મોટા ભાગના પૂજ્ય વડીલો કઈ સામેના પાત્રને જોઈ જાણીને એનો વિરોધ નથી કરતા. એ લોકો તો નવી પેઢીની પસંદગી પાછળનાં કારણો સમજવાની કોશિશ પણ નથી કરતા. એ લોકો તો સામેના પાત્રને જોયા વિના જ સૈદ્ધાંતિક રીતે જ તરત 'લવ મેરેજ'નિ ખિલાફ ખદા થઇ જાય છે.
.....................................
મામલો ભાગ્યે જ સંતાનના હિત કે શ્રેષ્ઠતાની કસોટીનો હોય છે. મુદ્દો હોય છે 'ઇગો પ્રોબેલ્મ' ! અમને જોયા વગર, અમને પૂછ્યા વગર તમારે જાતે તમારા લગ્નનો નિર્ણય લેવાય જ કેમ ? તમે તો અમારું રમકડું છો. તમે સ્વતંત્ર વિચાર ધરાવી જ કેમ શકો ?  પાછું આપણે ત્યાં યુવાવર્ગ પણ હૈયું ચલાવે એટલા હાથ ચલાવતો નથી. મતલબ, આર્થિક રીતે ભાગ્યે જ પગભર હોય છે. એટલે સમૃદ્ધિ કે સુરક્ષિતતા માટે મા-બાપનિ ગુલામી સ્વીકાર્યા વિના છુટકો જ નથી હોતો.
...................................
અરેન્જડ મેરેજની તો આખી કુપ્રથા જ રજવાડી સોદાબાજીમાથી આવી છે. બાકી કુદરત તો મેટિંગ કોલની મિટિંગમા જ માને છે. લોકો માને છે કે લવમેરેજ રિસ્કી છે. તો શું રસ્તા પરના તમામ અકસ્માતો રોકવાનું તમારા હાથમાં છે ? તમે ત્રિકાળજ્ઞાની છો ? એરેન્જડ મેરેજ સફળ આપણી સમાજ વ્યવસ્થાને લીધે થાય છે. એમ સાહચર્ય પછી પ્રેમ પ્રગટે તો પ્રગટે. આ તો 'કલ્તીવેટેડ લવ' થયો. પ્રેમનું કઈ ફેક્ટરી પ્રોડક્શન ન થાય. ઈટ્સ સ્પાર્ક, ઈટ્સ મેજીક મોમેન્ટ ! એરેન્જડ મેરેજ માં અનુબંધ હોય, અનુરાગ ન હોય.... ખરી પ્રક્રિયા પ્રેમમાં તપાયા પછી પાકા બનીને લગ્ન કરવાની છે, જો પ્રેમ વહેમ નહી હોય તો લગ્ન માટે આવશ્યક કમીટમેન્ટ, વફાદારી અને એડજસ્ટમેંટની રીસ્પોન્સીબીલીટી આપોઆપ આવી જશે. જો એ ભ્રમ હશે, તો પરપોટા જાતે ફોદ્યાનો આત્મસંતોષ મળશે.

Friday, June 3, 2011

પપ્પા તમે મને ભૂલી તો નહિ જાઓ ને ?

સાસરે જતી દીકરીને, એના પપ્પા થી વિખુટા પડતી વખતે એવો સવાલ થાય છે કે એના ગયા પછી એના વહાલા પપ્પા એને ભૂલી તો નહિ જાય ને ? દીકરી ની એ લાગણી ને વ્યક્ત કરવાં મે આ નીચે ની કવિતા લખી આજે.

સાવ એકલા મુકીને જાઉં છું સાસરે,
પપ્પા તમે મને ભૂલી તો નહિ જાઓ ને ?

નાની હતી ત્યારે પા-પા પગલી ભરતી ઢીંગલી,
આજ ચાલી જશે બીજે દેશ.
પપ્પા તમે મને ........

આંગળી ઝાલીને મોટી કરી પ્રેમથી,
આજ છૂટી જશે એ આંગળી.
પપ્પા તમે મને ..........

માંડી પડું ત્યારે ઉજાગરા કરી સંભાળ રાખી,
આજ પછી કોણ સંભાળ રાખશે ?
પપ્પા તમે મને ...........

ખુદ રડું છું, જાઉં છું તમને રડતા મૂકી ને,
આજ પછી મને છાની કોણ રાખશે ?
પપ્પા તમે મને .........

સાંજ પડ્યે રોજ યાદ આવશો તમે,
આજ પછી એ ઉભરાતી આખો કોણ લૂછશે ?
પપ્પા તમે મને ભૂલી તો નહિ જાઓ ને ?

- યશપાલસિંહ જાડેજા

Thursday, June 2, 2011

Stomach Ache પેટ માં દુખે છે

This hostel food is taking toll on my stomach. Its aching. :-(

આ હોસ્ટેલ નું જમવાનું મને ખાસ નથી ફાવતું. પેટ માં દુખે છે. :-(

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...