Saturday, July 27, 2013

ભરપેટ જમવાનું રૂ. 1માં, રૂ. 5માં અને રૂ. 12માં - વાહ ભાઈ વાહ

ભારતના રાજકારણીઓ કયા જમાનામાં જીવે છે એ ખબર નથી પડતી. ફિલ્મ અભિનેતા અને હવે રાજકારણી એવા રાજ બબ્બર કહે છે કે તમે રૂ. 12માં ભરપેટ જમી શકો છો. રશીદ મસૂદ સાહેબ કહે છે કે તમે રૂ. 5માં ભરપેટ જમી શકો છો. અને ફારૂખ અબ્દુલ્લાહ સાહેબ તો રૂ. 1માં ભરપેટ જમી શકાય એવું કહે છે. અરે ભાઈ, અડધી ચા પણ ઓછાં માં ઓછાં રૂ. 5 ની પડે છે ત્યાં 'ભરપેટ' જમવાની વાત તો ક્યાંથી થઇ શકે ?

ભૈલાઓ કઈ પણ બોલતા પહેલાં જરા માર્કેટમાં નીકળી ને ભાવ તો પૂછી જુઓ પછી ખબર પડશે કે રૂ. 1માં તો કોઈ જમવાની થાળી પણ પીરસી નહિ આપે. ચાખવાની અને 'ભરપેટ' જમવાની વાત તો બાજું પર રહી.

Monday, July 15, 2013

પેટ્રોલનો ભાવ ફરી પાછો વધ્યો. કઈ વાંધો નહી.

પેટ્રોલનો ભાવ ફરી પાછો વધ્યો. કઈ વાંધો નહી. આપણે ચિંતા નહીં કરવાની. આપણે તો ૧૦૦ રૂપિયાનું જ પુરાવાનું હોય છે ને. :-)

હું નાનો હતો ત્યારે પણ પપ્પા ૧૦૦રૂપિયનું જ પેટ્રોલ એમના સ્કૂટરમાં પુરાવતાં અને એ જોઈ ને હું પણ મોટો થયો ત્યારનો ૧૦૦ રૂપિયાનું જ પેટ્રોલ પુરાવું છું. 

Tuesday, July 9, 2013

પ્રેમ, બ્રેકઅપ અને બીજું બધું આડું અવળું

હાલમાં હું મારા પ્રિય લેખક કાંતિ ભટ્ટનું પુસ્તક "પીડામાંથી પ્રેરણા" વાંચી રહ્યો છું. કાંતિ ભટ્ટના 'ચેતનાની ક્ષણે' ના લેખોનું સંકલન છે. તેમાં એક લેખ છે જેનું શીર્ષક છે "વિચારી-વિચારીને પ્રેમ કે મૈત્રી કરી શકાય ?"

આ લેખના પ્રથમ ફકરામાં કાંતિ ભટ્ટે મુંબઈની એક મહિલા કૉલેજની મહિલા પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓને સલાહ આપેલી એની વાત કરી છે. પ્રિન્સીપાલ કહે છે - "યુવાની આવે ત્યારે કોઈ પણ યુવકને તમે ભલે દિલ આપો, પણ શરીર ના આપશો અને શરીર આપો તો પછી દિલ ન આપશો. આટલો નિયમ રાખશો તો પછી કોઈ પ્રકારનો માનસિક આઘાત નહિ લાગે. લાગણીઓમાં ખેચાવાની યાતનામાંથી છૂટી શકશો, કારણ કે જેમ હોળી રમીને ગંદા થયેલા શરીર પરથી નાહવાની સાથે જ રંગો ઊતરી જાય છે તેમ માત્ર શરીર જ સંડોવાયું હશે તો સંતાપ લાંબો નહિ તકે."

કાંતિ ભટ્ટ આ શિખામણ સાથે સંમત નથી થતા અને હું પણ નથી થતો. કાંતિ ભટ્ટ કહે છે - "પ્રેમમાં શરીર અને દિલને અલગ નથી પાડી શકાતાં. પ્રેમ કઈ ફૂંકી-ફૂંકીને નથી કરી શકાતો. એ તો પાગલ માણસનું કામ છે. ડાહ્યા માણસો પ્રેમ કરી ન શકે."

આગળ કા.ભ. એકવીસમી સદીમાં થતાં પ્રેમ વિષે કહે છે - "એકવીસમી સદીમાં પ્રેમ એ કઈ પરમેનન્ટ પેન્શનેબલ જોબ નથી. પ્રેમ થઇ જાય તો થઇ જાય, એની લંબાઈ-ટૂંકાઈ ન જોવાય."

આજે ઠેર ઠેર સ્કુલ-કૉલેજ ના છોકરા-છોકરીઓ પ્રેમમાં પડે છે અને પછી બ્રેકઅપ કરે છે અને ફરી પાછા બીજા કોઈ જોડે પ્રેમમાં પડે છે. હું લગ્ન પહેલા થતાં પ્રેમમાં બ્રેકઅપ ની તરફેણમાં છું કારણ કે પરાણે પરાણે પ્રેમ ન થાય. સહન કરી કરીને પ્રેમનો ઢોંગ કરવા કરતા નફફટ થઈને બ્રેકઅપ કરવું વધુ ઉચિત છે.

જીયા ખાને જો આદિત્ય પંચોળીના દીકરા સુરજ પંચોળીની સાથે બ્રેકઅપ કરી નાખ્યું હોત અને એને ભૂલીને બીજા કોઈના પ્રેમમાં પડી હોત તો એ અત્યારે જીવતી હોત.

પણ બ્રેકઅપ કરવો પણ ક્યા સહેલો હોય છે ? પ્રેમ એટલો અટપટી ચીજ છે કે બે પ્રેમીઓ વચ્ચે પ્રેમ છુમંતર થઇ ગયા પછી પણ એ નિષ્પ્રેમ અવશતા સીવ્કારવી મુશ્કેલ બને છે અને એટલે જ બ્રેકઅપ કરવું સહેલું નથી હોતું. 

નોંધ : આ પોસ્ટમાં મેં લગ્ન પહેલાં થતાં પ્રેમ અને બ્રેકઅપની જ વાતો કરી છે.  બે વ્યક્તિઓના લગ્ન પછીના બ્રેકઅપ ને ડિવોર્સ કહેવાય અને હું ડીવોર્સને બિલકુલ સમર્થન નથી આપતો (અમુક હદ વટાવી જનારા અપવાદ સિવાય) કારણ કે એમાં બે વાક્તીઓની સાથે એમના બાળકો અને પરિવારજનો પણ ચકડોળે ચડે છે.

એટલે લગ્ન પછી તો બને ત્યાં સુધી પડ્યું પાનું નિભાવી લેવું જોઈએ. અથવા એને શક્ય હોયતો સરખું લાગણીભર્યું કરવા મથતાં રહેવું અને જીવ્યે જવું. 

Friday, July 5, 2013

ધ બટરફ્લાય જનરેશન - રીવ્યુ

ગઈ કાલે "ધ બટરફ્લાય જનરેશન" વાંચી ને પૂરી કરી. લેખક છે પલાશ ક્રિશ્ના મેહરોત્રા.

પુસ્તકને ત્રણ ભાગમાં વહેચવામાં આવ્યું છે - One-on-One, Wide Angle અને Here We Are Now, Entertain Us.



પહેલાં ભાગમાં 8 લોકોની નાની નાની વાર્તાઓ છે. એવા લોકો જે લેખકના મિત્રો અથવા તો લેખક સાથે સંબંધ રાખનાર એની પ્રેમિકાઓ ની છે. એ બધા જ યુવાન છે. આ વાર્તાઓ આજના યુવાનોની માનસિકતા તથા કામ-કાજ વિશેની છે. આજના યુવાનોનું કેવા ડ્રગ્સના બંધાણીઓ છે એના પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેમ કે એક વાર્તા એક ફોટોગ્રાફરની છે જે હાલ દેવામાં છે પણ એના સારા દિવસો માં એની પાસે ઘણા રૂપિયા હતા અને હવે એ આશા રાખીને બેઠો છે કે ક્યારે એ દિવસો પાછા આવે. બીજી એક વાર્તા સ્ક્રીપ્ટ લેખકો ની છે જે મુંબઈમાં બોલીવૂડ માટે લખે છે. બીજી એક વાર્તા કૉલ સેન્ટરમાં કામ કરતા યુવાનોની છે જેમને નાની વયે સારી કમાણી મળી ગઈ છે અને સાથે સાથે ડ્રગ્સનું બંધાણ પણ.

લેખકે  ખુબ જ અસરકારક રીતે ગામડા કે નાના શહેરોમાં થી આવતા અને દિલ્હી-મુંબઈ જેવા મહાનગરોમાં વસતા/કામ કરતા આવતા યુવાનોની વાત કરી છે જે એમના માતા-પિતાના રૂઢીચુસ્ત વિચારોના બંધનોમાંથી મુક્ત થયા છે.

પુસ્તકનો બીજો ભાગ પહેલા ભાગના મુદ્દાઓને વિસ્તૃત પરિપ્રેક્ષ્યથી સમજાવે  છે.

મને સહુંથી વધું એ ગમ્યું કે લેખકે આજના યુવાનો એમની નોકરી ને લઇ ને કેટલા સજાગ છે એ તેમને વિસ્તારથી સમજાવ્યું છે. આજના યુવાનો ને હવે મલ્ટીનેશનલ કંપનીઓના શેફ કે પિઝ્ઝા બોય બનવામાં શરમ લાગતી નથી.

ત્રીજો  ભાગ અમુક જગ્યારે વધારે લાંબો લાગ્યો છે. ત્રીજા ભાગની શરૂઆત સમય જતા ટી.વી. ના થયેલા વિકાસની છે. દૂરદર્શન થી લઈને એમ. ટી.વી સુધી.

પછીથી  લેખક સંગીતમાં આવેલા ફેરફાર, ભારતમાં આવેલા વિદેશી બેન્ડ્સ, ભારત ના ખુદના બેન્ડ્સ અને એમનો વિસ્તાર વિષે વાત કરી છે.

ટૂંકમાં  જો તમે 70 કે 80 ના દાયકામાં જન્મેલ વ્યક્તિ છો તો આ પુસ્તક તમારા માટે છે.

ધ બટરફ્લાય જનરેશન એમેઝોન પરથી ખરીદવા માટે

ધ બટરફ્લાય જનરેશન ફ્લીપકાર્ટ પરથી ખરીદવા માટે

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...