Watched Darbar hall museum
Posts
Showing posts from January, 2013
પુનર્જન્મ એટલે શું ?
- Get link
- Other Apps
બે દિવસ થી હું ‘ધ ફકીર’ (લેખક : રુઝ્બેહ એન. ભરૂચા) વાંચી રહ્યો છું. આ પુસ્તક માં બાબા પુનર્જન્મ એટલે શું એ રુદ્ર ને સમજાવે છે. બાબા કહે છે કે પુનર્જન્મ એ કુદરતે બનાવેલો એક એવો નિયમ છે જેના દ્વારા ભગવાન આપણા બાકી રહેલા કર્મો ને પુરા કરી આપણને વિકાસ ની સીડી પર ઉંચે ચડાવે છે. પુનર્જન્મ વગર આપણે આપણી તકદીર સુધી પહોચવાની અને આપણા અધૂરા રહેલા કર્મો પુરા કરવાની તક આપે છે. સારી રીતે સમજાવવા બાબા રુદ્ર ને એક રમત નું ઉદાહરણ આપે છે, જેમ કે ફૂટબોલ અથવા બાસ્કેટબોલ. દરેક રમત ના અલગ નિયમો હોય છે જે આપણે (રમનારે) પાળવાના હોય છે. જો એ નિયમો ના પળાય તો આપણે સજાને પાત્ર બનીએ છીએ. એજ રીતે જીવન પણ એક બહું મોટી રમત છે જેણે આપણે એના નિયમો થી રમવાની છે. જો નિયમો વિરુદ્ધ જઈએ તો સજાપાત્ર બનીએ. સજા એ રમાય રહેલી રમત પુરતી સીમિત પણ હોય અથવા તો એ આગળની રમતો માં પ્રસરી શકે છે (સજાની ગંભીરતા ને આધીન). એટલે જો આપણે જીવનના નિયમો ના પાળીએ તો આપણને સજા મળે છે દુઃખ ના સ્વરૂપે. અમુક દુઃખ આ જીવવામાં જ આવે છે જયારે અમુક આવતા ભવે. રમત રમનાર ખેલાડી તરીકે આપણે ફરિયાદ કરીએ કે પાછલા ભવ ના દુષ