I and Kiran Patel are at Tushar's home, Zanzarda Road, Junagadh. Excellent view from his gallery.
Friday, January 25, 2013
Friday, January 18, 2013
ઠંડી
વળી પાછી ઠંડી વધી ગઈ છે. વચ્ચે 4-5 દિવસ શાંતિ હતી. ઠંડી ની સાથે સાથે પવન પર જોરદાર ફુકાઇ રહ્યો છે.
Saturday, January 12, 2013
તું મને જોત, તો જોતી થઈ જાત દુનિયા મને. - મરીઝ
પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રધ્ધા મને
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને
હું તને જોત તો દુનિયાને પછી જોત નહિ,
તું મને જોત, તો જોતી થઈ જાત દુનિયા મને.
- મરીઝ
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને
હું તને જોત તો દુનિયાને પછી જોત નહિ,
તું મને જોત, તો જોતી થઈ જાત દુનિયા મને.
- મરીઝ
Friday, January 11, 2013
Tuesday, January 8, 2013
પુનર્જન્મ એટલે શું ?
બે દિવસ થી હું ‘ધ ફકીર’
(લેખક : રુઝ્બેહ એન. ભરૂચા) વાંચી રહ્યો છું. આ પુસ્તક માં બાબા પુનર્જન્મ એટલે
શું એ રુદ્ર ને સમજાવે છે.
બાબા કહે છે કે પુનર્જન્મ એ
કુદરતે બનાવેલો એક એવો નિયમ છે જેના દ્વારા ભગવાન આપણા બાકી રહેલા કર્મો ને પુરા કરી
આપણને વિકાસ ની સીડી પર ઉંચે ચડાવે છે. પુનર્જન્મ વગર આપણે આપણી તકદીર સુધી
પહોચવાની અને આપણા અધૂરા રહેલા કર્મો પુરા કરવાની તક આપે છે.
સારી રીતે સમજાવવા બાબા
રુદ્ર ને એક રમત નું ઉદાહરણ આપે છે, જેમ કે ફૂટબોલ અથવા બાસ્કેટબોલ. દરેક રમત ના
અલગ નિયમો હોય છે જે આપણે (રમનારે) પાળવાના હોય છે. જો એ નિયમો ના પળાય તો આપણે
સજાને પાત્ર બનીએ છીએ.
એજ રીતે જીવન પણ એક બહું
મોટી રમત છે જેણે આપણે એના નિયમો થી રમવાની છે. જો નિયમો વિરુદ્ધ જઈએ તો સજાપાત્ર
બનીએ. સજા એ રમાય રહેલી રમત પુરતી સીમિત પણ હોય અથવા તો એ આગળની રમતો માં પ્રસરી
શકે છે (સજાની ગંભીરતા ને આધીન).
એટલે જો આપણે જીવનના નિયમો
ના પાળીએ તો આપણને સજા મળે છે દુઃખ ના સ્વરૂપે. અમુક દુઃખ આ જીવવામાં જ આવે છે
જયારે અમુક આવતા ભવે.
રમત રમનાર ખેલાડી તરીકે
આપણે ફરિયાદ કરીએ કે પાછલા ભવ ના દુષ્કર્મો મને યાદ નથી તો એની સજા શું કામ મળવી
જોઈએ ? એના જવાબ માં બાબા કહે છે કે આપણે એ ભૂલી જઈએ છીએ પણ જીવન ની રમત બનાવનાર
અને એના નિયમ બનાવનાર ને કાયમ આપણા કર્મો યાદ રહે છે અને આપણી ફરિયાદથી એ બદલાવાના
નથી કારણ કે જો એ બદલાશે તો બીજા રમનારા ખેલાડીયો માટે એ અન્યાયી થશે.
Monday, January 7, 2013
બક્ષીબાબુ નું બીજું એક અદ્ભુત વાક્ય
કલાકાર પોતે જ પોતાની સર્જનપ્રક્રિયા સમજાવવા બેસે એ બીજાઓને ફાવતું હશે, મને બહુ ફાવતું નથી. પોતાના હાથે જ પોતાનું સ્તન દબાવ્યા કરતી સ્ત્રીને કયો આનંદ મળતો હશે? એ અનૈસર્ગિક છે, અવૈજ્ઞાનિક છે.
સ્ત્રોત : http://rajniagravat.wordpress.com/introduction_contact/
સ્ત્રોત : http://rajniagravat.wordpress.com/introduction_contact/
Subscribe to:
Posts (Atom)
મારા વહાલા બાળકોને - ૬ અને ૭
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...
-
મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...
-
મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...
-
જ્યારે મનુષ્ય બહુભાષી થઈ જાય છે, મહાનગર કે નગરમાં કાન થી બે, ત્રણ, ચાર ભાષાઓ બોલતો-સમજતો થઈ જાય છે (લખતો નહીં!) ત્યારે તેની માતૃભાષાનું વ્યા...
