Showing posts with label સ્વતંત્રતા દિવસ. Show all posts
Showing posts with label સ્વતંત્રતા દિવસ. Show all posts

Thursday, August 15, 2013

દેશભક્તિ એક દિવસીય 'અફેર' નથી

આજે ભારતનો સ્વતંત્રતા દિવસ છે. 66 પહેલાં, 15મી ઓગસ્ટ ના રોજ ભારત અંગ્રેજોના રાજ માંથી મુક્ત થયો હતો.

આજને દિવસે ઘણાં ખરા ભારતીયો એ એમની દેશભક્તિની લાગણી ફેસબુક અને ટ્વીટર પર વ્યક્ત કરી.

એવું લાગતું હતું કે જાણે ભારત ના નાગરિક તરીકે એમની નૈતિક ફરજ હતી પોતાની દેશભક્તિ સોશિયલ નેટવર્ક્સ પર પબ્લીશ કરવાની.

જો કે, આ લાગણી પછીના દિવસે મૃત્યુ પામે છે. દરેક વ્યક્તિ પોતાના દૈનિક કામકાજ સાથે વ્યસ્ત રહેશે અને ફરી એક વર્ષ બાદ, તેમનામાં દેશભક્તિ જાગે છે અને ફરી એક વાર સોશિયલ નેટવર્ક્સ પર દર્શાવવામાં આવશે.

 
દેશભક્તિ તો હૃદય માંથી ઉત્પન્ન થાય. એને તમારા સ્ટેટસ અપડેટ્સ સાથે કોઈ લેવાદેવા નથી.

દેશભક્તિ એક દિવસીય 'અફેર' નથી. એતો એક માતાના એના પુત્ર માટે ના પ્રેમ જેવો હોય છે, બિનશરતી પ્રેમ.

આપણા સશસ્ત્ર દળ એક સાચા દેશભક્ત કહેવાય જે ખડે પગે આપણી સુરક્ષા માટે દિન-રાત બોર્ડર પર તૈનાત છે. એ લોકો એમના દિલમાં દેશભક્તિ હંમેશા પ્રજ્વલિત રાખે છે. આપણી જેમ એક દિવસની ભાડાની નહિ જે વર્ષમાં એક વાર ફેસબુક અને ટ્વીટર પર દેખાય અને પછી ખોવાય જાય.

મેરા ભારત મહાન. જય હિન્દ.

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...