જ્યારે મનુષ્ય બહુભાષી થઈ જાય છે, મહાનગર કે નગરમાં કાન થી બે, ત્રણ, ચાર ભાષાઓ બોલતો-સમજતો થઈ જાય છે (લખતો નહીં!) ત્યારે તેની માતૃભાષાનું વ્યાકરણ લુઝ થઈ જાય છે. વ્યાકરણ બહુ સખ્ત હતું માટે સંસ્કૃત મરી ગઈ અને વ્યાકરણ લુઝ હતું માટે અંગ્રેજી ભાષા હોંગકોંગ અને કેનબેરાથી કેપ્ટાઉન અને લોસ એન્જેલસ સુધી ફેલાઈ ગઈ. ગુજરાતી ભાષા એ જો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બોલચાલના વિશાળ ફલક પર આવવું હશે તો વ્યાકરણને લચીલું બનાવવું પડશે, નવા શબ્દો સરેઆમ સ્વીકારી લેવા પડશે.
- ચંદ્રકાંત બક્ષી "શબ્દ અને સાહિત્ય"