Monday, June 6, 2016

આપણા જીવનની કરુણાંતિકા

મૃત્યુ એ જીવનની કરુણાંતિકા નથી, પણ જીવતે જીવ આપણે જે આપણા માંહ્યલાને (આત્માને) મારીએ છીએ એ છે. - નોર્મન કઝીન્સ
રોબીન શર્માના પુસ્તક "Who Will Cry When You Die" ના પહેલાં પૃષ્ઠ પર આ સુંદર વાક્ય વાંચ્યું.

મેં આ પુસ્તક પહેલાં પણ વાંચેલું છે - કદાચ કોઈ લાઇબ્રરીમાંથી લઈને અથવા તો કોઈ મિત્રના અંગત કલેક્શન માંથી. અને ત્યારે જ નક્કી કરેલું કે આ પુસ્તક હું વસાવીસ. 4-5 દિવસ પહેલાં એમેઝોન પર આ પુસ્તક ખુબ જ સારા ડિસ્કાઉંટ સાથે મળતું હતું એટલે ખરીદી લીધું જે આજે ઘરે આવ્યું.

આ એવું પુસ્તક છે જે કોઈ પણ માણસ ગમે ત્યારે અને ગમે તે સમયે વાંચી શકે છે અને એમાં દરેકને કઈ ને કઈ ઉપયોગી વાંચવા લાયક, વિચારવા લાયક અને એમના જીવનમાં અમલ કરવા લાયક મળશે.

દાખલા તરીકે, લેખક પહેલાં પાઠમાં આપણને આપણી ખૂબીઓ અને શોખ જાણવા કહે છે અને આપણને આપના મકસદ વિચારવા કહે છે.  વિજ્ઞાન અને ટેકનોલોજી ના વિકાસ દ્વારા આપણે માયલો દૂર રહેતાં આપણા મિત્રો ને તરત કૉલ કરીને વાત કરી શકીએ છીએ પણ આપણને આપણી જાત સાથે વાત કરવાનો સમય નથી મળતો. આપને ભૂલી જઈએ છીએ કે આપણા જીવનનો હેતું શું છે અને આપણું દિલ શું કહે છે ? અને એટલે જ પછી આપણને ફૂટબોલની જેમ જીવન ઉછાળે છે અને આપણે ઉછળતા રહીએ છીએ.

ટૂંકમાં એક અદભુત પુસ્તક જે તમને જિંદગી જીવતા શીખવે.

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...