Tuesday, June 28, 2016

નવાજુની - 7

આજે મને જાણવા મળ્યું કે મારી સાથે નોકરી કરતા આલાપ મેહતા ના ફુવા એટલે 'પ્રિયજન' નવલકથાના લેખક શ્રી વિનેશ અંતાણી.

વાત એમ હતી કે રાકેશએ એવું કીધું કે હું કવિતાઓ લખું છું. એટલે જુહીએ પૂછ્યું કે ક્યાં છે તમારી કવિતાઓ ?

એટલે મેં આ બ્લોગની વાત કરી. અને એ બધાં (આલાપ, જુહી, નીરવ) આ બ્લોગ ખોલીને બેસી ગયા અને મારી કવિતાઓ વાંચવા લાગ્યા.

એ સમયે આલાપે કીધું કે મારા ફુવા વિનેશ અંતાણી પણ લખે છે. એ જાણીને મને સુખદ આશ્ચર્ય થયું અને મેં આલાપને કહ્યું કે જો શક્ય હોઈ તો મને એમની સાથે મુલાકાત કરાવી આપે.

મેં સહુથી પહેલા વિનેશ અંતાણીને દિવ્યભાસ્કરની રવિપૂર્તિમાં વાંચેલા. અને મને એ લેખમાં એક નવો શબ્દ જાણવા મળેલો એ મને હજી યાદ છે. શબ્દ હતો 'માલીપા'. માલીપા શબ્દનો નજીકનો અર્થ થાય - within.

એ પછીમે એમની લેખન યાત્રા વિશે "લખવું એટલે કે..."માં વાંચી.

અને ત્યારબાદ 'પ્રિયજન' નવલકથામાં. પ્રિયજન મને ખૂબ જ ગમેલી.

મને લેખકો-કવિઓને મળવાનું ગમે છે. કારણ કે મળીને મને પણ લખવાની પ્રેરણા મળે છે.

જોઈએ હવે વિનેશ સાહેબને ક્યારે મળાય છે.

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...