Tuesday, July 9, 2013

પ્રેમ, બ્રેકઅપ અને બીજું બધું આડું અવળું

હાલમાં હું મારા પ્રિય લેખક કાંતિ ભટ્ટનું પુસ્તક "પીડામાંથી પ્રેરણા" વાંચી રહ્યો છું. કાંતિ ભટ્ટના 'ચેતનાની ક્ષણે' ના લેખોનું સંકલન છે. તેમાં એક લેખ છે જેનું શીર્ષક છે "વિચારી-વિચારીને પ્રેમ કે મૈત્રી કરી શકાય ?"

આ લેખના પ્રથમ ફકરામાં કાંતિ ભટ્ટે મુંબઈની એક મહિલા કૉલેજની મહિલા પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓને સલાહ આપેલી એની વાત કરી છે. પ્રિન્સીપાલ કહે છે - "યુવાની આવે ત્યારે કોઈ પણ યુવકને તમે ભલે દિલ આપો, પણ શરીર ના આપશો અને શરીર આપો તો પછી દિલ ન આપશો. આટલો નિયમ રાખશો તો પછી કોઈ પ્રકારનો માનસિક આઘાત નહિ લાગે. લાગણીઓમાં ખેચાવાની યાતનામાંથી છૂટી શકશો, કારણ કે જેમ હોળી રમીને ગંદા થયેલા શરીર પરથી નાહવાની સાથે જ રંગો ઊતરી જાય છે તેમ માત્ર શરીર જ સંડોવાયું હશે તો સંતાપ લાંબો નહિ તકે."

કાંતિ ભટ્ટ આ શિખામણ સાથે સંમત નથી થતા અને હું પણ નથી થતો. કાંતિ ભટ્ટ કહે છે - "પ્રેમમાં શરીર અને દિલને અલગ નથી પાડી શકાતાં. પ્રેમ કઈ ફૂંકી-ફૂંકીને નથી કરી શકાતો. એ તો પાગલ માણસનું કામ છે. ડાહ્યા માણસો પ્રેમ કરી ન શકે."

આગળ કા.ભ. એકવીસમી સદીમાં થતાં પ્રેમ વિષે કહે છે - "એકવીસમી સદીમાં પ્રેમ એ કઈ પરમેનન્ટ પેન્શનેબલ જોબ નથી. પ્રેમ થઇ જાય તો થઇ જાય, એની લંબાઈ-ટૂંકાઈ ન જોવાય."

આજે ઠેર ઠેર સ્કુલ-કૉલેજ ના છોકરા-છોકરીઓ પ્રેમમાં પડે છે અને પછી બ્રેકઅપ કરે છે અને ફરી પાછા બીજા કોઈ જોડે પ્રેમમાં પડે છે. હું લગ્ન પહેલા થતાં પ્રેમમાં બ્રેકઅપ ની તરફેણમાં છું કારણ કે પરાણે પરાણે પ્રેમ ન થાય. સહન કરી કરીને પ્રેમનો ઢોંગ કરવા કરતા નફફટ થઈને બ્રેકઅપ કરવું વધુ ઉચિત છે.

જીયા ખાને જો આદિત્ય પંચોળીના દીકરા સુરજ પંચોળીની સાથે બ્રેકઅપ કરી નાખ્યું હોત અને એને ભૂલીને બીજા કોઈના પ્રેમમાં પડી હોત તો એ અત્યારે જીવતી હોત.

પણ બ્રેકઅપ કરવો પણ ક્યા સહેલો હોય છે ? પ્રેમ એટલો અટપટી ચીજ છે કે બે પ્રેમીઓ વચ્ચે પ્રેમ છુમંતર થઇ ગયા પછી પણ એ નિષ્પ્રેમ અવશતા સીવ્કારવી મુશ્કેલ બને છે અને એટલે જ બ્રેકઅપ કરવું સહેલું નથી હોતું. 

નોંધ : આ પોસ્ટમાં મેં લગ્ન પહેલાં થતાં પ્રેમ અને બ્રેકઅપની જ વાતો કરી છે.  બે વ્યક્તિઓના લગ્ન પછીના બ્રેકઅપ ને ડિવોર્સ કહેવાય અને હું ડીવોર્સને બિલકુલ સમર્થન નથી આપતો (અમુક હદ વટાવી જનારા અપવાદ સિવાય) કારણ કે એમાં બે વાક્તીઓની સાથે એમના બાળકો અને પરિવારજનો પણ ચકડોળે ચડે છે.

એટલે લગ્ન પછી તો બને ત્યાં સુધી પડ્યું પાનું નિભાવી લેવું જોઈએ. અથવા એને શક્ય હોયતો સરખું લાગણીભર્યું કરવા મથતાં રહેવું અને જીવ્યે જવું. 

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...