Tuesday, April 30, 2013

ઉત્તમ સંગીત, સાહિત્ય કે કળાકૃતિ ની રચના ક્યારે થાય ?

દુઃખની ચરમસીમા પર માણસ મરી જાય છે અથવા પાગલ થઇ જાય છે અથવા કલાનો ઉપાસક થઈ જાય છે. સંગીત ની ઉત્તમ તરજો, દરેક ભાષાની કવિતાઓ/ગઝલો અને વિશ્વ ની બનમૂન કળાકૃતિઓ ત્યારેજ સર્જાય છે જ્યારે કોઈ પીડા માણસ ના દિલ ને ઝંઝોળી નાખે છે, એના સપનાઓ ને ચૂર ચૂર કરી નાખે છે અને આંખો ના સુકાય ગયેલા આંસુ એ સંગીત, એ કવિતા કે કળાકૃતિ ને રૂપે બહાર રેલાય છે.

- યશપાલસિંહ જાડેજા 

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...