Tuesday, April 30, 2013

ઉત્તમ સંગીત, સાહિત્ય કે કળાકૃતિ ની રચના ક્યારે થાય ?

દુઃખની ચરમસીમા પર માણસ મરી જાય છે અથવા પાગલ થઇ જાય છે અથવા કલાનો ઉપાસક થઈ જાય છે. સંગીત ની ઉત્તમ તરજો, દરેક ભાષાની કવિતાઓ/ગઝલો અને વિશ્વ ની બનમૂન કળાકૃતિઓ ત્યારેજ સર્જાય છે જ્યારે કોઈ પીડા માણસ ના દિલ ને ઝંઝોળી નાખે છે, એના સપનાઓ ને ચૂર ચૂર કરી નાખે છે અને આંખો ના સુકાય ગયેલા આંસુ એ સંગીત, એ કવિતા કે કળાકૃતિ ને રૂપે બહાર રેલાય છે.

- યશપાલસિંહ જાડેજા 

Thursday, April 25, 2013

હનુમાન જયંતિ

આજે હનુમાન જયંતિ છે, હમુમાન દાદા નો જન્મદિવસ. મને નાનપણથી હનુમાનદાદા નું આકર્ષણ રહ્યું છે, ખાસ કરી ને એમની તાકાત, એમનો દેખાવ અને એમની નિર્ભયતા. નાનપણ માં જ્યારે રાતના ડર લાગતો ત્યારે મોટેરાઓ અમને એમનું નામ જપવાનું કહેતા. મને નાનપણ થી હનુમાન ચાલીસા પણ યાદ છે અને ગુલશન કુમારે ગયેલી હનુમાન ચાલીસા હું ઘણી વાર કેસેટ લગાવી ને સાંભળતો. સ્કૂલમાં હતો ત્યારે અમુક વર્ષો હું અને પપ્પા શનિવારે ભરૂચ ના સ્ટેશન રોડ પર આવેલા હનુમાનદાદા ના મંદિરે પણ જતા. કોઈ વાર ગુમાનદેવ પણ જતા. કોઈ કોઈ વાર શનિવારે ઉપવાસ પણ કરતો. આવી જ એક હનુમાન જયંતી ના દિવસે હું વરતેજ એકલો બસ માં બેસી ને ગયો હતો. (વર્ષ 2000).

ફરી થી એક વાર હનુંમાજી ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ. આશા રાખું છું કે તમે અમને આશીર્વાદ આપો, તમારા જેવી શક્તિ આપો અને બુદ્ધિ આપો.

Tuesday, April 23, 2013

યોગ્ય સમયે ચુપ રહેવાથી અને ઉચિત સમયે બોલવાથી ઘણી આફતો ટાળી શકાતી હોય છે.

- યશપાલસિંહ જાડેજા

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...